(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્સવની તૈયારીને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે, મૂર્તિકારો દ્વારા માટીની મૂર્તિઓ બનાવી દેવામાં આવી છે અને ગણેશભક્તોએ પણ મૂર્તિઓનુ બુકિંગ કરાવી દીધુ છે. અને ગણેશ મંડળો દ્વારા લાઈટીંગ મંડપો બાંધવાની કામગીરી ચાલી રહી છે, પ્રશાશન દ્વારા ગણપતિ મહોત્સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફૂટથી ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિ સ્થાપિત કરવાની પરવાનગી આપવામાંઆવેલ છે સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક વિસ્તારોમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી) વાળી ગણપતિની મૂર્તિઓ વેચાઈ રહી છે. આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. જેથી મૂર્તિકારોમાં પણ થોડા અંશે ખુશી જોવા મળી છે અને મુર્તિકાર પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.