ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જ્ઞાન સહાયક યોજના રદ્ ન કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રસ્તાઓ રોકી ચક્કાજામ કરવાની ઉચ્ચારેલી ચિમકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: ચીખલી સર્કિટ હાઉસથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ અગ્રણી મગનભાઈ આમધરા વલ્લભભાઈ દેશમુખ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈ.સી.પટેલ આદિવાસી સમાજના અગ્રણી રમેશભાઈ ખાંભડા સહિતનાઓની આગેવાનીમાં સૂત્રોચ્ચાર સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો રેલી આકારે સેવા સદન પહોંચી મામલતદાર રોશનીબેન પટેલને આવેદનપત્ર પાઠવી તેમાં જણાવ્યું હતું કે અમને 11-માસના કરાર આધારિત નોકરીનો નિર્ણય આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી. રાત દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી વિસ્તરીય પરીક્ષા પાસ કરનારાઓનું શિક્ષક બનવાનુ સ્વપ્ન રોળાઈ જશે અને ભાવિ અંધકાર મય બની જશે જ્ઞાન સહાયક યોજના રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ કરાઈ હતી.
ઉમેદવારો સેવા સદનના દરવાજા પાસે બેસી જઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન ધારાસભ્ય અનંતભાઈ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું. કે 11-મહિનાનો કરાર જ લાવવો હોય તો મુખ્યમંત્રી ધારાસભ્યોને પણ 11-મહિનાના કરાર પર રાખો અભણ ધારાસભ્યોને કાઢો ટેટ-ટાટ ભણેલાને એમએલએ બનાવો સરકાર દ્વારા ગનસન સહાયક યોજના રદ ન કરવામાં આવશે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રસ્તા રોકી ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.