Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે એક કંપનીની દીવાલની નજીક એક અજાણ્‍યા યુવાનની લાશ ડીકમ્‍પોઝ હાલતમાં મળી આવી હતી. જેની તપાસ બાદ વ્‍યક્‍તિ ડુંગરા-વાપીનો રહેવાસી હોવાનું બહાર આવ્‍યું હતું. આ બાબતે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અનિલકુમાર ઉર્ફે પપ્‍પુ અયોધ્‍યાપ્રસાદ અવસ્‍થીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવેલ કે મારો ભાઈ રાજન ઉર્ફે મુકેશની માથાના ભાગે પથ્‍થર મારી હત્‍યા કરવામાં આવેલ છે અને એનો મોબાઈલ પણ છીનવી લઈ ગયેલ છે.
પોલીસે આઇપીસી 302, 397 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતા જોતા એસ.પી.ના માર્ગદર્શનમાં એક ટીમ બનાવી આરોપીને પકડવા માટે ઘટના સ્‍થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, સાથે ટેકનિકલ ટીમને પણ સક્રિય કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં મૃતકની લાશ જે દિવસે મળેલ એના એક દિવસ પહેલા એક અજાણ્‍યો વ્‍યક્‍તિ જોવા મળ્‍યો હતો જે વ્‍યક્‍તિની તપાસ કરતા આરોપી તરીકે રાજુ પુત્ર ચંદ્રિકા ચોરાસીયા(ઉ.વ.32) રહેવાસી પીરમોરમાં ભગવતી સ્‍કૂલ ડુંગરા, મૂળ રહેવાસી-બિહાર જેની દાદરાની એક કંપનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમા રજુ કરતા 9મે સુધી પોલીસ રિમાન્‍ડ આપવામાં આવ્‍યા છે.

Related posts

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

યુનિવર્સિટી આયોજિત જુડો ટુર્નામેન્‍ટમાં કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજના ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદર્શન

vartmanpravah

Leave a Comment