Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: કેન્‍દ્ર સરકારના ભારત રત્‍ન એવોર્ડથી પ્રેરિત થઈને વલસાડની સેવાભાવી સંસ્‍થા જેસીઆઈ દ્વારા વર્ષ 2014થી શહેરના શ્રેષ્ઠ નાગરિકો કે જેઓએ જુદા જુદા ક્ષેત્રમાં પોતાની સેવા આપી વલસાડ શહેરનું નામ રાજ્‍ય કે દેશમાં ગુંજતું કર્યુ હોય તેની નોંધ લઈ ત્રણ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવે છે.
આ વર્ષે વલસાડમાં 103 વર્ષથી પણ વધુ વર્ષોથી મફત સેવા આપનાર આરએનસી આઈ હોસ્‍પિટલને તેમની સેવા બદલ નગરરત્‍ન સંસ્‍થાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. તબીબી ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા બદલ ડો.ઉદય દેસાઈ અને ડો.પિનેશ મોદીને તેમજ સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા માટે નરેશ નાયક અને ડો.શ્રીકાંત કનોજીયાને વિશિષ્ટ નાગરિક સન્‍માન વડે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.પર્યાવરણની દેખરેખ અને જતન કરવા બદલ આશિષ પટેલને કર્તવ્‍ય નિષ્ઠ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે બ્‍લ્‍યુ બિલિયન ગ્રુપના સીએમડી ડો.કિશોર નાવંદર હાજર રહ્યા હતા. પ્રોજેક્‍ટ ચેરપર્સન તરીકે જેસી દીપેશ શાહ અને જેસી કલ્‍પેશ ગાંધીએ સેવા આપી હતી. મહેમાનોનું સ્‍વાગત પ્રેસિડેન્‍ટ સાહિલ અશોક દેસાઈએ કર્યું હતું. આભારવિધિ જેસી દીપા શાહે કરી હતી. સમગ્ર વલસાડ જેસીઆઈ પરિવારના સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી.

Related posts

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

Leave a Comment