October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: કેન્‍દ્ર સરકારના ભારત રત્‍ન એવોર્ડથી પ્રેરિત થઈને વલસાડની સેવાભાવી સંસ્‍થા જેસીઆઈ દ્વારા વર્ષ 2014થી શહેરના શ્રેષ્ઠ નાગરિકો કે જેઓએ જુદા જુદા ક્ષેત્રમાં પોતાની સેવા આપી વલસાડ શહેરનું નામ રાજ્‍ય કે દેશમાં ગુંજતું કર્યુ હોય તેની નોંધ લઈ ત્રણ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવે છે.
આ વર્ષે વલસાડમાં 103 વર્ષથી પણ વધુ વર્ષોથી મફત સેવા આપનાર આરએનસી આઈ હોસ્‍પિટલને તેમની સેવા બદલ નગરરત્‍ન સંસ્‍થાનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. તબીબી ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા બદલ ડો.ઉદય દેસાઈ અને ડો.પિનેશ મોદીને તેમજ સ્‍વાસ્‍થ્‍ય અને શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવા માટે નરેશ નાયક અને ડો.શ્રીકાંત કનોજીયાને વિશિષ્ટ નાગરિક સન્‍માન વડે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.પર્યાવરણની દેખરેખ અને જતન કરવા બદલ આશિષ પટેલને કર્તવ્‍ય નિષ્ઠ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે બ્‍લ્‍યુ બિલિયન ગ્રુપના સીએમડી ડો.કિશોર નાવંદર હાજર રહ્યા હતા. પ્રોજેક્‍ટ ચેરપર્સન તરીકે જેસી દીપેશ શાહ અને જેસી કલ્‍પેશ ગાંધીએ સેવા આપી હતી. મહેમાનોનું સ્‍વાગત પ્રેસિડેન્‍ટ સાહિલ અશોક દેસાઈએ કર્યું હતું. આભારવિધિ જેસી દીપા શાહે કરી હતી. સમગ્ર વલસાડ જેસીઆઈ પરિવારના સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી.

Related posts

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

Leave a Comment