December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી લોકસભા 2024 ની ચૂંટણી અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે ‘‘બુથ સશક્‍તિકરણ” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષસ્‍થાને અને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ ભાજપના મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, શ્રી માધુભાઈ કથીરિયા તેમજ વલસાડ જિલ્લા બુથ સશક્‍તિકરણના ઈન્‍ચાર્જ શ્રી કરસનભાઈ ગોંડલીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં અગત્‍યની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ‘‘બુથ સશક્‍તિકરણ” અભિયાન અંગે હાજર તમામને પ્રદેશની સૂચના મુજબ સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કરી બાકી કામગીરી સત્‍વરે પૂર્ણ કરવા જણાવાયું હતું. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતાપાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી શીલપેશભાઈ દેસાઈ, શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશના હોદેદારશ્રીઓ, તમામ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જિલ્લા મીડિયા, સોશિયલ મીડિયા, આઈ.ટી.ના ઈન્‍ચાર્જશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” થીમ સાથે હાથ ધરાયું સફાઈ અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment