January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

  • વર્ષોથી આદિવાસી ભવન ફક્‍ત એક પરિવારના તાબામાં રહેતાં સમસ્‍ત આદિવાસી સમુદાય લાભથી વંચિત રહ્યો હતો, હવે ‘એકલવ્‍ય ભવન’માં પ્રદેશના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનવાનું શરૂ થયેલું અભિયાન

  • એકલવ્‍ય એટલે જ્ઞાન, ત્‍યાગ, સમર્પણ અને સ્‍નેહના પ્રતિકનો સમન્‍વયઃ આદિવાસી સમુદાય પણ એકલવ્‍યને નજર સમક્ષ રાખી વિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’માં પિરસવામાં આવી રહેલા જ્ઞાનનો સરવાળો કરી પોતાની એક આત્‍મનિર્ભર છબી બનાવી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠન દ્વારા સંચાલિત સેલવાસના ‘આદિવાસી ભવન’ને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’નું નામકરણ કરવામાં આવ્‍યું છે. હવેથી સેલવાસ આદિવાસી ભવન ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે.
અત્રે યાદ રહે કે, આદિવાસી વિકાસ સંગઠનના તત્‍કાલિન સંચાલકોએ સેલવાસના ‘આદિવાસી ભવન’નો ઉપયોગ પોતાના પિતાની મિલકત તરીકે કરી સમગ્ર ભવન ઉપર કબ્‍જો જમાવ્‍યો હતો. પોતાના પરિવાર કે મિત્રોને છોડીને એક પણ આદિવાસી સમાજના વ્‍યક્‍તિને દુકાન કે ઓફિસ આપી નહીં હતી. એક પરિવારની ઈચ્‍છા પ્રમાણેઆદિવાસી ભવનનો વહીવટ ચાલતો હતો. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સરકાર દ્વારા લીઝ ઉપર આપવામાં આવેલ જમીન ઉપર બનેલ ‘આદિવાસી ભવન’ પોતાના ઉદ્દેશથી વિરૂદ્ધ કાર્ય કરી રહ્યું હોવાની માહિતી અને ફરિયાદ મળતાં તેમણે પોતાના માધ્‍યમથી કરાવેલી તપાસમાં પણ સો ટકા સાચી ફરિયાદ હોવાનું પ્રતિત થતાં પ્રશાસકશ્રીએ તાત્‍કાલિક આદિવાસી વિકાસ સંગઠનના હોદ્દેદારોને બર્ખાસ્‍ત કરી વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર શ્રી ભાવેશભાઈ પટેલની વરણી કરતો આદેશ જારી કર્યો હતો.
‘આદિવાસી ભવન’ને ‘એકલવ્‍ય ભવન’ના નવા નામકરણ સાથે આદિવાસીઓને આત્‍મનિર્ભર અને સ્‍પર્ધામાં ટકી શકે એવા નિષ્‍ણાત અભ્‍યાસુ બનાવવાના હેતુથી અહીં કોમ્‍પ્‍યુટર કોર્સ, સિલાઈ પ્રશિક્ષણ, બ્‍યુટી પાર્લર, પુરૂષ પાર્લરની સાથે સાથે સેલૂન પ્રશિક્ષણ, લાઈટ મોટર વ્‍હીકલ ચલાવવાનું પ્રશિક્ષણ, દ્વિચક્રી વાહનના સમારકામનું પ્રશિક્ષણ, સેલફોન રિપેરિંગ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું પ્રશિક્ષણ, પ્‍લમ્‍બિંગ, કડિયાકામ, કારપેન્‍ટરી(સુથારીકામ) વગેરેના પ્રશિક્ષણની વ્‍યવસ્‍થા પણ આદિવાસી સમુદાયના ભાઈ-બહેન માટે કરવામાં આવી છે.
એકલવ્‍યને હંમેશા જ્ઞાન, ત્‍યાગ, સમર્પણ અને સ્‍નેહના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. તેથી આદિવાસી સમુદાય પણ એકલવ્‍યને નજર સમક્ષ રાખીવિકસિત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રશાસન દ્વારા ‘એકલવ્‍ય ભવન’માં પિરસવામાં આવી રહેલા જ્ઞાનનો સરવાળો કરી પોતાની એક આત્‍મનિર્ભર છબી બનાવે એવી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પરથી ઈકોના સ્‍ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

Leave a Comment