Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકા સહિતના વાંસદા તાલુકાના વિવિધ વિસ્‍તારમાં નદીઓ તથા સ્‍થાનિક કોતરો પરના પુલોનું માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વેક્ષણ કરી મરામત કરવાની મજબૂતાઈ વધારવાની જરૂરિયાત હોય તેવા પૂલોને પ્રાથમિકતા મુજબ તબક્કાવાર દરખાસ્‍ત કરવામાં આવી રહી છે તે પૈકી હાલે ચીખલી-વાંસદા-વધઇ રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર વાલઝર ગામમાંથી પસાર થતી કાવેરી નદીના પુલનું રૂા.49.15 લાખ, આજ માર્ગ ઉપર કાવેરી નદી પરના હનુમાનબારી સ્‍થિત પુલનું 48.74 લાખ ચીખલી તાલુકાના રૂમલાની આગળ રાનકુવા રૂમલા કરંજવેરી રાજ્‍ય ધોરીમાર્ગ સ્‍થિત કાંકરી ખાડી પરના પુલનું 89.56 લાખ ઉપરાંત વાંચતા તાલુકાના માનકુનિયા અંકલાછ મુખ્‍ય જિલ્લા માર્ગ ઉપર સ્‍થાનિક કોટરો પર બે જેટલા પૂલોનું અનુક્રમે 48.74 અને 52.44 લાખ રૂપિયાના ખર્ચે પૂલોની મરામત હાથ ધરી પીલરોમાં ગનાયટીગ એન્‍ડ ગ્રાઉન્‍ડિંગની કામગીરી કરી પૂલોની મજબૂતાઈ વધારવામાં આવશે. આ ઉપરાંત જરૂર હશે ત્‍યાં આરસીસીની રેલીગનું પણ નિર્માણ કરાશે અને જરૂરિયાત હશે ત્‍યાં હયાત રેલિંગની મરામત કરવામાંઆવનાર છે.
ચીખલી અને વાંસદા તાલુકાની વિવિધ નદીઓ અને સ્‍થાનિક કોતરો પરના પાંચ જેટલા પૂલોનું 2.88 કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ માટે ગાંધીનગર માર્ગ મકાન વિભાગમાંથી જરૂરી વહીવટી મંજૂરી પણ મળી જવા પામી છે. માર્ગ મકાન દ્વારા કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે તકેદારીના ભાગ તબક્કાવાર વિવિધ પૂલોની મરામત હાથ ધરવામાં આવી છે વધુમાં રાનકુવા રૂમલા રાજ્‍ય ધોરીમાર્ગ સ્‍થિત કાવેરી નદી પરના હરણગામમાં આવેલ પુલની મરામત મજબૂતાઈ વધારવા માટે પણ જરૂરી એસ્‍ટીમેટ બનાવી માર્ગ મકાન દ્વારા દરખાસ્‍ત કરવામાં આવી છે.

ચીખલી માર્ગ મકાન વિભાગના અધિકારી ભરતભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પૂલોની મજબૂતાઈ વધારવાના કામને વહીવટી મંજૂરી મળતા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અને હરણગામના પુલ માટે પણ દરખાસ્‍ત કરવામાં આવી છે.

Related posts

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

Leave a Comment