Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

19 ડિસેમ્‍બર 1961 પહેલાં જન્‍મેલા માતા-પિતાના સંતાનોના ડુપ્‍લિકેટ પાસપોર્ટ બનાવાતા હતા : 10 પાસપોર્ટ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડમાં પહેલા પાસપોર્ટ વિઝા બનાવી આપવાની કામગીરી કરતો અને ગુનાહિત રેકર્ડ ધરાવતો માસ્‍ટર માઈન્‍ડ વાપી-વલસાડ-દમણમાં પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ બનાવતો હોવાની સનસની ખેજ રેકેટનો પોલીસએ પર્દાફાશ કરી માસ્‍ટર માઈન્‍ડ સાથે પાસપોર્ટ મેળવનાર અન્‍ય ત્રણની ધરપકડ કરી 10 ડુપ્‍લિકેટ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્‍યા છે.
વલસાડમાં રહેતો આરોપી માસ્‍ટર માઈન્‍ડ મોહંમદ શાકીદ ઉર્ફે ટોમી વાપી-વલસાડ-દમણમાં રહેતા પોર્ટુગલ જવા માગતા લોકોને બનાવટી પેપર, આધાર-પુરાવા ડોક્‍યુમેન્‍ટથી બનાવટી પાસપોર્ટ બનાવી આપતો હતો. પોલીસને મળેલી ખાનગી રાહે બાતમી આધારે મોહંમદ શાકીદઉર્ફે ટોમીને દબોચી લીધો તેમજ બનાવટી પાસપોર્ટ બનાવેલ એવા અન્‍ય ત્રણ આસીયા બીલી, મોહીન શેખ, ઈરફાન સુલેમાન ટેલરને પણ પોલીસે ધરપકડ કરી હતી. માસ્‍ટર માઈન્‍ડ મોહંમદ અગાઉ વલસાડમાં પાસપોર્ટ-વિઝાની ઓફિસ ચલાવતો હતો તેથી તેના સંપર્કો બહોળા હતા. તલાટી કે પાલિકામાંથી ખોટા જરૂરી ડુપ્‍લિકેટ દસ્‍તાવેજ બનાવડાવીને મોહંમદ પોર્ટુગિઝના બનાવટી પાસપોર્ટ કાઢી આપતા એમાં ખાસ કાનૂન એવો છે કે 19 ડિસેમ્‍બર 1961 પહેલા જન્‍મેલાને પોર્ટુગીઝ વિઝા પાસપોર્ટ આપવામાં આવે છે તેથી તેવા લોકોના 1961 પછી જન્‍મેલા સંતાનો ખોટા પાસપોર્ટથી પોર્ટુગીઝમાં ઘૂસી જવાનો રસ્‍તો કરી લે છે. ઝડપાયેલ માસ્‍ટર માઈન્‍ડ આરોપી મોહંમદ શાકીદના નામે ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે. બનાવટી પાસપોર્ટ કૌભાંડના રેલામાં તલાટી કે પાલિકાના અધિકારીઓ પણ તપાસના રેલામાં આવરી લેવાનું પોલીસે જણાવેલ છે.

Related posts

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment