Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

અખંડ ભારત અખંડ હેલ્‍થકેર ફાઉન્‍ડેશનએ હેલ્‍થકેર સિસ્‍ટમ
સોશ્‍યલ સિકયુરિટી શરૂ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: મધ્‍યમ અને ઉચ્‍ચતર મધ્‍યમ વર્ગના વરિષ્ઠ નાગરિકોને રોજીંદી લેવાની દવાઓ વિના મુલ્‍યે આપી તેમના માટે હેલ્‍થકેર સોશ્‍યલ સિકયુરિટીનું કાર્ય અખંડ ભારત અખંડ હેલ્‍થકેર ફાઉન્‍ડેશને શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા જે પણ વરિષ્ઠ નાગરિકોનું લાઈટબિલ રૂા.1200 થી ઓછું આવતું હોય તેમને વિના મુલ્‍યે દવા અપાશે. જેના માટે વરિષ્ઠ નાગરિકોએ રૂા.2100નો વાર્ષિક વહિવટી ચાર્જ આપવો પડશે.
આ અંગે વલસાડમાં એક પત્રકાર પરિષદમાં સંસ્‍થાના સંસ્‍થાપક અને પ્રમુખ ડો.મિલિંદ ઘાએલે જણાવ્‍યું કે, તેમના દ્વારા 6 વર્ષ અગાઉ આ સેવા શરૂ કરાઈ હતી. એક વરિષ્ઠ નાગરિકોના ઘરની મુલાકાત દરમિયાન તેમને ખબર પડી કે તેઓ હૃદય રોગની અનેપ્રેશરની દવા લેવા માટે સક્ષમ નથી. ત્‍યારથી તેમણે આ સેવાની શરૂઆત કરી હતી. જેને 6 વર્ષ થઈ ગયા છે. આ સેવાની શરૂઆત નવસારીથી કરાઈ હતી. જે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં પણ આ સેવા હવે કાર્યરત થઈ ગઈ છે. અત્‍યાર સુધી તેમના દ્વારા 5100 જેટલા દર્દીઓને આ પ્રકારની સેવા અપાઈ રહી છે.

Related posts

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment