અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશનએ હેલ્થકેર સિસ્ટમ
સોશ્યલ સિકયુરિટી શરૂ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: મધ્યમ અને ઉચ્ચતર મધ્યમ વર્ગના વરિષ્ઠ નાગરિકોને રોજીંદી લેવાની દવાઓ વિના મુલ્યે આપી તેમના માટે હેલ્થકેર સોશ્યલ સિકયુરિટીનું કાર્ય અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશને શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા જે પણ વરિષ્ઠ નાગરિકોનું લાઈટબિલ રૂા.1200 થી ઓછું આવતું હોય તેમને વિના મુલ્યે દવા અપાશે. જેના માટે વરિષ્ઠ નાગરિકોએ રૂા.2100નો વાર્ષિક વહિવટી ચાર્જ આપવો પડશે.
આ અંગે વલસાડમાં એક પત્રકાર પરિષદમાં સંસ્થાના સંસ્થાપક અને પ્રમુખ ડો.મિલિંદ ઘાએલે જણાવ્યું કે, તેમના દ્વારા 6 વર્ષ અગાઉ આ સેવા શરૂ કરાઈ હતી. એક વરિષ્ઠ નાગરિકોના ઘરની મુલાકાત દરમિયાન તેમને ખબર પડી કે તેઓ હૃદય રોગની અનેપ્રેશરની દવા લેવા માટે સક્ષમ નથી. ત્યારથી તેમણે આ સેવાની શરૂઆત કરી હતી. જેને 6 વર્ષ થઈ ગયા છે. આ સેવાની શરૂઆત નવસારીથી કરાઈ હતી. જે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં પણ આ સેવા હવે કાર્યરત થઈ ગઈ છે. અત્યાર સુધી તેમના દ્વારા 5100 જેટલા દર્દીઓને આ પ્રકારની સેવા અપાઈ રહી છે.