-
સમાજના આગેવાન અને દાનવીર કેપ્ટન અમૃત માણેક દ્વારા અતિથિ ગૃહના નિર્માણ માટે માહ્યાવંશી વિકાસને મંચને કરાયેલું ભૂમિદાન
-
માહ્યાવંશી વિકાસ મંચના સ્વપ્નદૃષ્ટા કર્મયોગી મનહરભાઈ પટેલના પ્રયાસોથી સમાજ એક તાંતણે બંધાતા સમાજના વિકાસનો વધી રહેલો વિસ્તાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,તા.03
અગામી શનિવારે સવારે 10:30 કલાકે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મહારાષ્ટ્રના કાજલી – તલાસરી ખાતે આવેલ સ્થળે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહના ભૂમિ પૂજનનું આયોજન કરાયું છે.
ગુજરાતથી જતા મુંબઈ બોર્ડર ઉપર નેશનલ હાઈવે નં.48 હોટલ સહ્યાદ્રીની સામે ચાણક્ય નગરી, કાજલી-તલાસરી ખાતે આગેવાન સમાજ સેવક અને દાનવીર કેપ્ટન અમૃત માણેક દ્વારા કરાયેલા ભૂમિદાન ઉપર સમસ્ત માહ્યાવંશી સમાજ માટે માહ્યાવંશી વિકાસ મંચના નેજા હેઠળ અતિથિ ગૃહના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. જેનું ભૂમિ પૂજન શનિવારના 10:30 કલાકે નિર્ધારિત કરાયું છે.
અત્રે નોંધનીય છે કે, માહ્યાવંશી વિકાસ મંચના સ્વપ્નદૃષ્ટા અને કર્મયોગી શ્રી મનહરભાઈ પટેલના પ્રયાસથી સમસ્ત સમાજને એક તાંતણે બાંધી આજે સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતું કરવા સફળ રહ્યા છે.
દેશ-વિદેશમાં રહેતા માહ્યાવંશી સમાજના લાખો લોકો નેશનલ હાઈવે નંબર 48થી પસાર થશે ત્યારે આન બાન અને શાનના સ્વરૂપમાં માહ્યાવંશી સમાજનું અતિથિ ગૃહ આપની રાહ જોતું હશે.
માહ્યાવંશી સમાજે અતિથિ ગૃહના નિર્માણનું કરેલું આયોજન આવતા દિવસોમાં દેશના પ્રગતિશીલ સમાજ માટે પણ પ્રેરક બનશે એવું માનવામાં આવી રહ્યું છે.