August 14, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે અવાર નવાર દિપડો આવી ચડે છે, ગત ત્રણ ચાર દિવસ પહેલા દિપડો ઘોઘલા ગામે એક યુવાનને દેખાતા તેમણે તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી, પોલીસ વિભાગ દીવ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટ વિભાગની ટીમે તે સ્‍થળે જઈને તપાસ કરતા દિપડો હોવાના ચિન્‍હો મળી આવ્‍યા હતા, તેથી દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ગુજરાત ધારી રેન્‍જ ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી હતી, અને ત્‍યારબાદ દિપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે દિવસની જહેમત બાદ આજે સવારે ઘોઘલા ગર્લ્‍સસ્‍કૂલ પાંજરાપોળની પાછળ દિપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આ દિપડાને ઘોઘલાથી દગાચી નક્ષત્ર વન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો ત્‍યાંથી ગુજરાત ફોરેસ્‍ટ વિભાગને સોંપી દેવાયો હતો. ગુજરાત ફોરેસ્‍ટ વિભાગએ જણાવ્‍યા પ્રમાણે આ દિપડો પાંચ વર્ષનો છે.

Related posts

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

દાદરા નગર હવેલી મલયાલી એસોસિએશન દ્વારા ‘ઓણમ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment