July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

દાનહના દરેક સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવવા કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
દાનહની સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા 6 મહત્‍વપૂર્ણ માંગ કરવામાં આવી છે જેમાં સંવિધાન નિર્માતા ડો.બાબાસાહેબ આંબેડકરના સંવિધાનથી ભારત શાસન-પ્રશાસન ચાલે છે તેમ છતાં સરકારી અધિકારીઓ પોતે કાર્યાલયમાં ડો.બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવતા નથી. જેના કારણે સંવિધાન ગૌરવ સમિતિએ આવેદનપત્રમાં 6 મહત્‍વની માંગણીઓ કરી હતી. જેમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજની ઉભી પ્રતિમાને તાત્‍કાલિક મંજૂર કરવામાં આવે, ડો. બાબાસાહેબ આંબેડકરભવનનું નિર્માણ કરવા, કરાડની પોલિટેક્‍નિક કોલેજનું નામ શોર્ટમાં લખેલું છે જેને ડો. બાબાસાહેબ આંબેડકરના પૂર્ણ નામ સાથે લખવાની માંગ કરી હતી. તેમજ દાદરા નગર હવેલીના તમામ સરકારી કાર્યાલયો તેમજ સરકારી અને અર્ધ સરકારી સ્‍કૂલમાં સંવિધાનના નિર્માતાની તસવીર લગાવવી તેમજદાનહના ગરીબ વંચિત ઘર વિહોણા જરૂરતમંદ કામદારોને સરકારના રાહત દરે મકાન આપવાની માંગ કરી હતી.
આજે કલેકટર કચરીમાં સંવિધાન ગૌરવ સમિતિના શ્રી નરેન્‍દ્ર ધારગવે, શ્રી ભીમરાવ કટકે, શ્રી વિનાયક ઇંગોલે,શ્રી વાસુદેવ પ્રધાન, શ્રી આર.કે.જાધવ-યુનિયન લીડર, શ્રી ગોવર્ધન મહાજન, શ્રી સંજીવન બોદ્ધ, શ્રી વનવાસ જી. રાઉત, શ્રી ઉત્તમ તારુ, શ્રી ઉત્તમ ખેબાલે અને અન્‍ય ભીમ સૈનિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment