(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.24 : નર્મદા નદીનાં પૂરની વિકટ પરિસ્થિતિમાં ભરૂચ તથા અંકલેશ્વરમાં વ્યાપક નુકસાન થયેલ છે ત્યારે નર્મદા પૂરમાં સૌથી વધુ પ્રભાવિત અંકલેશ્વર તાલુકાનાં જૂના બોરભાઠા બેટ અને નવા બોરભાઠા બેટ ગામમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સેલુત ગામનાં સેવાભાવી યુવાનોએ રેલ રાહતની લગભગ 300 જેટલી અનાજ કરિયાણું ઉપરાંત ઘરવખરીની કીટનું પૂરગ્રસ્ત લોકોનાં ઘરે ઘરે જઈ વિતરણ કરી માનવતા મહેંકાવી હતી.