October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

નવમા દિવસે બાપ્‍પાને છપ્‍પન ભોગ પ્રસાદ અને આખી
રાત ભજન કિર્તન કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થિના શુભ દિને વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવનો ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો હતો. આજે અનંત ચૌદશના દિવસે તમામ શ્રીજીની મૂર્તિઓ વાજતે ગાજતે, ડી.જે.ના તાલે નાચતા કુદતા ભાવિકોના મહેરામણે શ્રીજીની તમામ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
વાપી વિસ્‍તારમાં નાની મોટી એક હજાર ઉપરાંત ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપનાકરવામાં આવી હતી. અનેક પંડાલ જુદી જુદી થીમથી ડેકોરેશન કરાયા હતા. આ અનુક્રમે વાપી નૂતનનગરમાં સરદાર બાગમાં પણ ગણેશ બાળ, યુવક અને મહિલા મંડળ દ્વારા ગણેશજીની આસ્‍થા પૂર્વક સ્‍થાપના કરવામાં આવી હતી. દશ દિવસ સુધી સવાર-સાંજ આરતી પૂજા કરવામાં આવી હતી. અનંત ચૌદશના વિસર્જનના આઘળના દિન ગણેશ પંડાલમાં બહેનો અને પરિવારો દ્વારા શ્રીજી દાદાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો. તેમજ આખી રાત સવારે છ વાગ્‍યા સુધી સતત ભજન-કિર્તન કરવામાં આવ્‍યા હતા. ગણેશ મહોત્‍સવને સફળ બનાવવા માટે યુવા કાર્યકર વ્રજ પટેલ અને ટીમ, નિરંજનભાઈ નિલેશભાઈ આહીર, મયુરભાઈ તથા મહિલા મંડળના કમલેશબેન વર્મા, લીલુબેન ભાનુસાલી સહિત બહેન-ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

વાપી ખાતે પારડી વિધાનસભા મત વિસ્‍તારનો ભાજપના ધારાસભ્‍ય અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘‘એજ્‍યુકેશન વર્લ્‍ડ ઈન્‍ડિયા સ્‍કૂલ રેન્‍કિંગ 2024-25 એવોર્ડ” સમારોહમાં લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલે સ્‍પેશિયલ મેરિટ એવોર્ડ મેળવીને બનાવ્‍યો રેકોર્ડ

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

Leave a Comment