Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

નવમા દિવસે બાપ્‍પાને છપ્‍પન ભોગ પ્રસાદ અને આખી
રાત ભજન કિર્તન કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થિના શુભ દિને વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવનો ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો હતો. આજે અનંત ચૌદશના દિવસે તમામ શ્રીજીની મૂર્તિઓ વાજતે ગાજતે, ડી.જે.ના તાલે નાચતા કુદતા ભાવિકોના મહેરામણે શ્રીજીની તમામ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
વાપી વિસ્‍તારમાં નાની મોટી એક હજાર ઉપરાંત ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપનાકરવામાં આવી હતી. અનેક પંડાલ જુદી જુદી થીમથી ડેકોરેશન કરાયા હતા. આ અનુક્રમે વાપી નૂતનનગરમાં સરદાર બાગમાં પણ ગણેશ બાળ, યુવક અને મહિલા મંડળ દ્વારા ગણેશજીની આસ્‍થા પૂર્વક સ્‍થાપના કરવામાં આવી હતી. દશ દિવસ સુધી સવાર-સાંજ આરતી પૂજા કરવામાં આવી હતી. અનંત ચૌદશના વિસર્જનના આઘળના દિન ગણેશ પંડાલમાં બહેનો અને પરિવારો દ્વારા શ્રીજી દાદાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્‍યો હતો. તેમજ આખી રાત સવારે છ વાગ્‍યા સુધી સતત ભજન-કિર્તન કરવામાં આવ્‍યા હતા. ગણેશ મહોત્‍સવને સફળ બનાવવા માટે યુવા કાર્યકર વ્રજ પટેલ અને ટીમ, નિરંજનભાઈ નિલેશભાઈ આહીર, મયુરભાઈ તથા મહિલા મંડળના કમલેશબેન વર્મા, લીલુબેન ભાનુસાલી સહિત બહેન-ભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

Leave a Comment