(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્થાનોએ ઠેર ઠેર ગલગોટાના ફુલોનું વેચાણ કરતા વિક્રેતાઓ જોવા મળ્યા હતા. જો કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ફુલોનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષ કરતા 40 થી 60 રૂપિયા જેટલો ગલગોટાના ફૂલનો ભાવ બોલાઈ રહ્યો છે અને રૂા.120થી લઈ 150 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અસહ્ય મોંઘવારીના માર વચ્ચે ગલગોટાના ફુલોના ભાવમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો મળી રહ્યો છે.