(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા અમૃત સરોવર મિશન હેઠળ ‘મનરેગા’ યોજના અંતર્ગત પ્રદેશમાં નદીઓ ઉપર પચાસથી વધુ અમૃત સરોવર-ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરંગી અને આંબોલીમાં નિર્માણ પામી રહેલા અમૃત સરોવર-ચેકડેમ થકી ગામના લોકો રોજગારી મેળવી રહ્યા છે.
અમૃત સરોવર-ચેકડેમ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી બોર અને કૂવાના જળસ્તરો ઊંચા આવી રહ્યા છે અને પીવાના પાણી-સિંચાઈની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમૃત સરોવરનું નિર્માણ અને તેનું સંરક્ષણ કરી સામુહિક સરોવરનું નદીઓ સાથે જોડાણ કરી જળ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ દાનહ જિ.પં. દ્વારા કરવામાં આવી રહ્યો છે.