July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા અમૃત સરોવર મિશન હેઠળ ‘મનરેગા’ યોજના અંતર્ગત પ્રદેશમાં નદીઓ ઉપર પચાસથી વધુ અમૃત સરોવર-ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરંગી અને આંબોલીમાં નિર્માણ પામી રહેલા અમૃત સરોવર-ચેકડેમ થકી ગામના લોકો રોજગારી મેળવી રહ્યા છે.
અમૃત સરોવર-ચેકડેમ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી બોર અને કૂવાના જળસ્‍તરો ઊંચા આવી રહ્યા છે અને પીવાના પાણી-સિંચાઈની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમૃત સરોવરનું નિર્માણ અને તેનું સંરક્ષણ કરી સામુહિક સરોવરનું નદીઓ સાથે જોડાણ કરી જળ ક્ષેત્રના વિકાસને પ્રોત્‍સાહન આપવાનો પ્રયાસ દાનહ જિ.પં. દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment