October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.09: તારીખ 8 ઓક્‍ટોબરને મંગળવારના રોજ છઠ્ઠા નોરતે રાજ્‍યના ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. આ દરમિયાન તેમણે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં હાજરી આપી હતી. ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઈસ્‍ટ ઝોનમાં ઉપસ્‍થિત રહીને મા ખોડલની આરતીનો લ્‍હાવો લીધો હતો. શ્રી હર્ષભાઈ સંઘવીએ માતાજીની આરતી કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઈસ્‍ટ ઝોનના આયોજકોએ ગૃહ રાજ્‍યમંત્રીનું સ્‍વાગત-સન્‍માન કર્યું હતું.
ત્‍યારબાદ ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક ખાતે આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોનમાં હાજરી આપી હતી. જ્‍યાં આયોજકોએ શ્રી હર્ષભાઈ સંઘવીને ખોડલધામનો ખેસ અને મા ખોડલની છબી અર્પણ કરીને સન્‍માનિત કર્યા હતા. ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં સુરક્ષાથી લઈને ખેલૈયાઓ માટે કરવામાં આવેલી તમામ વ્‍યવસ્‍થાની સરાહના કરી હતી.

Related posts

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

vartmanpravah

દમણ-દીવ ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે નિમાયેલા હરીશભાઈ પટેલનું સાંસદ લાલુભાઈ પટેલ, જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ કરેલું હાર્દિક અભિવાદન

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment