Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોન અને ઈસ્‍ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.09: તારીખ 8 ઓક્‍ટોબરને મંગળવારના રોજ છઠ્ઠા નોરતે રાજ્‍યના ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. આ દરમિયાન તેમણે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં હાજરી આપી હતી. ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઈસ્‍ટ ઝોનમાં ઉપસ્‍થિત રહીને મા ખોડલની આરતીનો લ્‍હાવો લીધો હતો. શ્રી હર્ષભાઈ સંઘવીએ માતાજીની આરતી કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઈસ્‍ટ ઝોનના આયોજકોએ ગૃહ રાજ્‍યમંત્રીનું સ્‍વાગત-સન્‍માન કર્યું હતું.
ત્‍યારબાદ ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર પરસાણા ચોક ખાતે આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ નોર્થ ઝોનમાં હાજરી આપી હતી. જ્‍યાં આયોજકોએ શ્રી હર્ષભાઈ સંઘવીને ખોડલધામનો ખેસ અને મા ખોડલની છબી અર્પણ કરીને સન્‍માનિત કર્યા હતા. ગૃહ રાજ્‍યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં સુરક્ષાથી લઈને ખેલૈયાઓ માટે કરવામાં આવેલી તમામ વ્‍યવસ્‍થાની સરાહના કરી હતી.

Related posts

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

પારડી પોલીસે મોતીવાડાથી રિક્ષામાં થતી દારૂની હેરાફેરી ઝડપી

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

Leave a Comment