July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને આરોગ્‍ય સચિવ, આરોગ્‍ય સલાહકાર અને કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રાષ્‍ટ્રીય એઇડ્‍સ નિયંત્રણ ઇન્‍સ્‍ટિટયૂટ (NACO)ની ગાઈડલાઈન મુજબ રાજ્‍ય એઇડ્‍સ નિયંત્રણ સોસાયટી દ્વારા ‘‘અવેરનેસ ઓન એચઆઈવી/એઇડ્‍સ”ના માટે ‘રેડ રન મેરેથોન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ રેડ રિબન ક્‍લબ હેઠળની તમામ કોલેજો અને તમામ સરકારી અને ખાનગી કોલેજોએ ભાગ લીધો હતો.
આ મેરેથોનમાં 17 કોલેજોના કુલ 1300થી વધુ યુવાવોએ ભાગ લીધો હતો. ઈવેન્‍ટ દરમિયાન, HIV/AIDS નિયંત્રણ, નિવારણ અને જાગૃતિ માટે વિવિધ ‘લિરિકલ પર્ફોર્મન્‍સ”, સ્‍કીટ્‍સ, ‘‘રોલ પ્‍લે” અને ‘‘વોર્મ અપ સેશન્‍સ”નું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સ્‍પર્ધા દરમિયાન સેલવાસના નિવાસી સબ-કલેક્‍ટર (RDC) સુશ્રી ચાર્મી પારેખ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, નગરપાલિકાના ચીફ ઓફિસર, આરોગ્‍ય વિભાગના સલાહકાર, દાનહના મુખ્‍ય તબીબી અધિકારી, નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ મેડિકલ એજ્‍યુકેશનના ડીન અને પ્રોફેસરો અને વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.આ મેરેથોનની શરૂઆત સવારે 07:00 કલાકે સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ સેલવાસથી થઈ હતી, આ 5 કિલોમીટરની મેરેથોનનો રૂટ કિલવાણી નાકા, ડોકમરડી બ્રિજ-પ્રભાત સ્‍કૂલ-ગાયત્રી મંદિર-આમલી ફાઉન્‍ટેન-ચાર રસ્‍તા-બસ સ્‍ટોપ-ટોકરખાડા થઈને કલેક્‍ટર કચેરી થઈને હતો. આ રેડ રન મેરેથોનમાં વિજેતા સ્‍પર્ધકો ઈનામો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેમજ આ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર એક પુરુષ વિદ્યાર્થી અને એક મહિલા વિદ્યાર્થીને ગોવામાં યોજાનારી રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં મોકલવામાં આવશે.

Related posts

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્‍ટ કેમિકલ ડમ્‍પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment