March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 178 જેટલી પ્રાથમિક શાળાઓમાં 16,374 જેટલા બાળકો અભ્‍યાસ કરે છે અને હાલે 844 જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તાલુકામાં ઘણા લાંબા સમયથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ટીપીઈઓ) ની જગ્‍યા ભરવામાં આવી નથી. અને આ જ જગ્‍યા પર પણ શિક્ષકને ચાર્જ આપી આ મહત્‍વની જગ્‍યા પણ ઈન્‍ચાર્જથી કામ ચલાવાઇ રહ્યું છે. આ ઉપરાંત તાલુકામાં ચીખલી,મલિયાધરા, રૂમલા અને રાનકુવા એમ ચાર જેટલી બીટો છે. આ તમામ જગ્‍યાઓ ઉપર બીટ નિરીક્ષકોની વર્ષોથી નિમણૂક કરવામાં આવી નથી. અને એચટાટ આચાર્યોને કામ ચલાઉ ચાર્જ સોંપી ગાડું ગબડાવાઈ રહ્યું છે. જોકે આ ચાર પૈકી રૂમલા બીટ પર તો હાલે ઈન્‍ચાર્જ બીટ નિરીક્ષક પણ નથી.
પ્રાથમિક શાળાઓમાં બીટ નિરીક્ષકો દ્વારા તેમના બીટની પ્રાથમિક શાળાઓની સમયાંતરે વિઝીટ કરી શાળા કેમ્‍પસમાં સાફ સફાઈ, દફતરોનું નિરીક્ષણ, બાળકોનું મૂલ્‍યાંકન સાથે વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે. ત્‍યારે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે માટે આ જગ્‍યાઓ ખૂબ મહત્‍વની છે. પરંતુ સરકાર દ્વારા વર્ષોથી આ જગ્‍યાઓ ભરવામાં આવી નથી.
વર્તમાન સમયમાં તાલુકામાં પણ અનેક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટ સર્જાવા સાથે શાળાઓ બંધ થવાના આરે છે. અને સરકારના આ પ્રકારના કારભારમાં ખાનગી શાળાઓમાં ધસારો વધી જવા પામ્‍યો છે. અને ખાનગી શાળાઓને રીતસરનું પ્રોત્‍સાહન મળી રહ્યો હોય તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે.
બાળકોની કારકિર્દી ઘડતરના પાયો એવા પ્રાથમિક શિક્ષણમાં પણ મહત્‍વની જગ્‍યાઓ ઉપર સરકાર દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. ત્‍યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાંસુધારો થવા સામે પ્રશ્નાર્થ સર્જાવા પામ્‍યો છે.
ઈન્‍ચાર્જ ટીપીઈઓ વિજયભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી તાલુકામાં ચાર જેટલા બીટો છે તે પૈકી હાલે ત્રણ ઉપર એચટાટ આચાર્યોની કામ ચલાઉ નિમણૂક કરાયેલ છે. જ્‍યારે રૂમલા બીટ હાલે ખાલી છે.

Related posts

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ લૉ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયોઃ 75 સ્‍ટુડન્‍ટને મળી એલએલબીની ઉપાધિ

vartmanpravah

Leave a Comment