Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

મનોચિકિત્‍સકો અને વિષય નિષ્‍ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા સુધી સંપર્ક કરી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : વલસાડ જિલ્લામાં આગામી માર્ચ-2023માં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઆપશે. સ્‍વાભાવિક રીતે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા બાબતે માનસિક ડર, હતાશા, ચિંતા અને ઉન્‍માદ અનુભવતા હોય છે. આ પ્રકારના લક્ષણો અને મુંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્‍ત અને હકારાત્‍મક વલણ સાથે કારકીર્દીની સીમાચિホરૂપ બોર્ડની પારીક્ષામાં જ્‍વલંત સફળતા પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન દ્વારા તેમને મુંઝવતા પ્રશ્નો માટે સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્‍યા દરમિયાન માર્ગદર્શન મેળવી શકશે. આ હેલ્‍પલાઈન વર્ષ 2018થી શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લગતી મુંઝવણનું માર્ગદર્શન મેળવતા આવ્‍યા છે. તથા વધુ માર્ગદર્શન માટે મનોચિકિત્‍સક ડો. કિરણકુમાર વાધીયા, મનોચિકિત્‍સક વિભાગ, વલસાડ(મો.નં. 8128586443), તૃપ્તિબેન વ્‍યાસ કાઉન્‍સેલર અને શિક્ષક (મો.નં. 8141025595), મનોચિકિત્‍સક અને કાઉન્‍સેલર ભુમિ થોરાટ(મો.નં. 8160788583), અરનાઝ છેલા (મો.નં. 9375777495)નો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

Leave a Comment