Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

આ પ્રકારની છેડછાડની ઘટનાને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ દરમિયાન ‘મેરી માટી, મેરા દેશ’ના 9 થી 15 ઓગસ્‍ટ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં દરેક ગામોમાંથી માટી એકત્ર પંચ પ્રાણ લેવડાવી દેશની આઝાદીમાં યોગદાન આપનારના પરિવારજનોનું સન્‍માન કરી પથ્‍થરની તકતી લગાવવામાં આવી હતી અને જેના ઉપર દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સંદેશ, તારીખ, ગ્રામ પંચાયતનું નામ માતૃભૂમિની સ્‍વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોને શત્‌ શત્‌ નમન તેવું લખાણ લખવામાં આવ્‍યું હતું.
આ પ્રકારની તકતી થાલામાં પણ તળાવની પાળે તા.10/08/23ના રોજ લગાવવામાં આવી હતી. આ પથ્‍થરની તકતીપરથી લખાણ ગાયબ થઈ જવા પામ્‍યું છે. ત્‍યારે કોઈએ તકતી સાથે ચેડા કરી આ લખાણ કોઈ પૂર્વગ્રહ રાખીને ગાયબ કરી દેવામાં આવ્‍યું હોય તેમ લાગે છે. ત્‍યારે સરકારના આઝાદી કા અમૃત મહોત્‍સવ જેવા કાર્યક્રમ દરમિયાન લગાવવામાં આવેલ તકતી પરથી આ રીતે લખાણ ગાયબ થઈ જવાની બાબતને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. માંડ બે મહિના જેટલાના ટૂંકા ગાળામાં જ પથ્‍થરની તકતી સાથે થાલામાં છેડછાડ કરવામાં આવી છે. ત્‍યારે તંત્રએ અન્‍ય ગામોમાં પણ આ તક્‍તિની સ્‍થિતિની તપાસ કરાવવી જોઈએ.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment