March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

મોંઘીદાટ કારમાં આવેલા 8 જુગારીયાઓ રૂા.17.84 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વાપી નજીક કરવડ, તંબાડી ફાટકખાતે ભગત ફળિયામાં આવેલ ઇંટના ભઠ્ઠાની બાજુમાં પુનિત અરજણ કલસરિયા નામના વ્‍યક્‍તિ દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે રેઈડ કરતા ચકચાર મચી ગઈ છે. એલસીબીની ટીમે આ રેઈડમાં પાંચ કાર, નવ મોબાઈલ તેમજ દાવમાં લાગેલા 8000 રૂપિયા રોકડા, અંગ ઝડતીમાંથી મળેલા રૂા.21,500 મળી કુલ રૂા.17,84,650 નો મુદ્દા માલ જપ્ત કરી જુગાર ધારાની કલમ 112 મુજબ 8 જુગારીયાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ એલસીબીના સ્‍ટાફને બાતમી મળી હતી કે, કરવડ ગામમાં આવેલ ઈંટના ભઠ્ઠાની જમીન પર ભઠ્ઠાના માલિક સહિત અન્‍ય ઈંટના ભઠ્ઠાના વેપારીઓ મોટેપાયે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે કરવડ, તંબાડી ફાટક નજીક ભગત ફળિયામાં આવેલ કિકુંભાઈ ધોડિયાની જમીનમાં ઈંટનો ભઠ્ઠો ચલાવતા પુનિત અરજણ કલસરિયાને ત્‍યાં રેઈડ કરી હતી. જેમાં કુલ 8 જુગરિયાઓ ઝડપાઈ ગયા હતાં.
વલસાડ એલસીબીની ટીમે કરવડ તંબાડી ફાટક ભગત ફળિયામાં આવેલા પુનિત અરજણ કલસરિયાના ઈંટના ભઠ્ઠાની બાજુમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્‍યો હતો. જેમાં કરવડના યોગેશ ઠાકોર કોળી, ચણોદ કોલોનીમાં રહેતા પુનિત અરજણ કલસરિયા, રાતા ચાર રસ્‍તા ખાતે રહેતા હસમુખકુરજી ડુમરાળીયા, કરવડમાં રહેતા તેજસ મનસુખ ધંધુકિયા, ચણોદ કોલોનીમાં રહેતા મયુર શાંતિ ટાપણીયા, મનહર ગોવિંદ વાઢીયા, હિતેશ જસમત કુંભાર, કોચરવા ખાતે રહેતા કિશોરબાલા ડુમરાળિયાને ઝડપી પાડ્‍યા હતા.
પકડાયેલા આ આઠ જુગારીયાઓની અંગજડતીમાંથી 21,500 રૂપિયા તેમજ દાવ પર લાગેલા 8000 રોકડા રૂપિયા મળ્‍યા હતા. એ ઉપરાંત જુગારીયાઓ પાંચ જેટલી મોંઘી દાટ કારમાં આવ્‍યા હોય તેની 17 લાખની કિંમત ગણી, જુગારીઓ પાસે રહેલા નવ મોબાઇલની 55 હજાર રૂપિયાની કિંમત ગણી કુલ રૂા.17,84,650 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. તમામ 8 જુગારીયાઓની અટક કરી એલસીબીની ટીમે જુગાર ધારાની કલમ 112 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ આંતર સમાજ ઈલેવનમાં કોળી સમાજ ઈલેવન ચેમ્‍પિયનઃ દરબાર ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment