Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

ટોરેન્‍ટ પાવરના અધિકારીઓ દ્વારા કેટલીક સમસ્‍યાઓનું સ્‍થળ ઉપર જ નિરાકરણ કરાતા ગ્રાહકોમાંફેલાયેલી આનંદ અને ઉત્‍સાહની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લઈ તેમની સમસ્‍યાઓનું સમાધાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ટોરેન્‍ટ પાવર દ્વારા વીજ ગ્રાહકોને નવા વીજ જોડાણ, વીજ જોડાણમાં નામ બદલી, વીજભાર વધારવા-ઘટાડવા અંગેની માહિતી તથા ગ્રાહકો તરફથી મળેલી અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો. હાજર રહેલા કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને ડિજિટલ પ્‍લેટફોર્મના વપરાશ, વીજ સલામતિ તથા વીજ બચતની માહિતી પુરી પાડી હતી. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા વીજ ગ્રાહકોની સમસ્‍યાના નિરાકરણ માટે કાર્યરત 24×7 હેલ્‍પ લાઈન નંબર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વીજ જોડાણ અંગેની કોઈપણ માહિતી અથવા વીજ ફરિયાદ માટે ટોરેન્‍ટ પાવરની મોબાઈલ એપ્‍લીકેશનનો મોબાઈલ દ્વારા ઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ નિદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કંપનીના અધિકારીઓ દ્વારા વીજ ગ્રાહકોને વીજબિલ અંગેની સંપૂર્ણ સમજ સ્‍થળ ઉપર આપવામાં આવી હતી.
ટોરેન્‍ટ પાવર કંપનીના અધિકારીના જણાવ્‍યા પ્રમાણે વીજ ગ્રાહકોને વીજવપરાશ સંબંધિત સમજણ અને પડતી સમસ્‍યાઓના નિરાકરણ માટે કંપની પ્રતિબધ્‍ધ છે તેમજ વધુ ને વધુ વીજ ગ્રાહકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવા જુદી જુદી ગ્રામ પંચાયત હેઠળના વિસ્‍તારોમાં ‘ટોરેન્‍ટ આપણાં દ્વારે’ શિબિરનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક મહિના દરમિયાન કંપની દ્વારા દમણના પાંચ ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હોવાની પણ જાણકારી આપવામાં આવી છે તેમજ આ કાર્યક્રમમાં લોકો તરફથી કંપનીને મળેલા સુંદર પ્રતિભાવને નજર સમક્ષ રાખી બાકીની અન્‍ય ગ્રામ પંચાયતોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો કરનાર હોવાની જાણકારી આપવામાં આવી છે.
આ શિબિરમાં હાજર રહેલા ટોરેન્‍ટ કંપનીના અધિકારીઓએ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો હૃદયપૂર્વક આભાર પણ માન્‍યો હતો.

Related posts

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

Leave a Comment