Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

  • સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.માં કાર્યરત 4 ઉત્તર ભારતીય લેબર કોન્‍ટ્રાક્‍ટરોના તાર પ્રદેશના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોવાથી કામદારોને ડરાવી ધમકાવી ઓછા વેતનમાં કરાવાતું 12 કલાકનું કામ
  • જિલ્લાના લેબર વિભાગે લેબર કોન્‍ટ્રાક્‍ટરો અને કંપની મેનેજમેન્‍ટને તાત્‍કાલિક અસરથી લઘુત્તમ વેતન દરનો અમલ કરવા આપેલો નિર્દેશ, નહીં તો કડક પગલાં ભરવા પણ આપેલી ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના પીપરિયા ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલ સનપેટ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડના લગભગ 300 જેટલા કામદારોએ આજે પોતાને લઘુત્તમ વેતન નહીં મળતાં હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને કલેક્‍ટર કાર્યાલય ખાતે લેબર ઓફિસરને મળી પોતાની વ્‍યથા જણાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સનપેટ ઈન્‍ડિયાપ્રાઈવેટ લિમિટેડમાં વર્ષોથી કામ કરી રહેલા કામદારોને લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા 12 કલાક કામ કરાવી પ્રતિ દિનનું વેતન ફક્‍ત રૂા.466 જ આપવામાં આવતું હોવાનું જાણવા મળે છે. આ કંપનીમાં 4 ઉત્તર ભારતીયો લેબર કોન્‍ટ્રાક્‍ટરો તરીકે કાર્યરત છે. તેઓ કોઈક ને કોઈક રીતે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. જેના કારણે પોતાની રાજકીય પકડના ધાકથી કામદારોને ડરાવી ધમકાવી અને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપવાની સાથે નોકરીમાંથી કાઢી મુકવા સુધીના પગલાં ભરવા જણાવવામાં આવે છે. જેના કારણે મોટાભાગના કામદારો મુંગા મોઢે ઢોર જેવું કામ કરતા રહે છે. પરંતુ આજે 300 જેટલા કામદારોએ હડતાળ પાડી પોતાની વેદનાથી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને લેબર ઓફિસર શ્રી મિહિર જોષીને અવગત કરાયા હતા. લેબર વિભાગે પ્રશાસનના નીતિ-નિયમો મુજબ દરેક કામદારોને વેતન આપવા અને તેને આ મહિનાથી જ લાગુ કરવા કોન્‍ટ્રાક્‍ટરોને સ્‍પષ્‍ટ નિર્દેશ આપ્‍યો હતો. જો કોન્‍ટ્રાક્‍ટરો અને કંપની સંચાલકો જિલ્લા પ્રશાસન દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતનનો અમલ નહીં કરાયો તો સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્‍યો હતો.

Related posts

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

Leave a Comment