March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્‍ય ચાર રસ્‍તા નજીક ગટરના પાણીના નિકાલની વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. હાલમાં આ ગટરને તોડવાનું કામ ચાલી રહ્યું છે, એનાપહેલાં પણ ચોમાસા દરમ્‍યાન ગટરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને આજદિન સુધી કામગીરી અધૂરી છોડવામાં આવેલ છે. જેના કારણે ગંદકીવાળુ પાણી ઘેરાયેલું રહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
અહીં નજીકમાં શાકભાજી વેચવા બેસતી મહિલાઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ રહી છે. આ ગટરના પાણીના યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા કર્યા બાદ જ તેને તોડવાની કામગીરી કરવી જોઈતી હતી. પરંતુ એવું નહીં થતાં હવે આ દુર્ગંધનો ભોગ ત્‍યાંથી પસાર થતા બની રહ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

Related posts

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળા જમીન પ્રકરણમાં નવી બોટલમાં જૂનો દારૂ એ પણ બનાવટી જેવો સામે આવી રહેલો ઘાટ

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

Leave a Comment