January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્‍ય ચાર રસ્‍તા નજીક ગટરના પાણીના નિકાલની વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. હાલમાં આ ગટરને તોડવાનું કામ ચાલી રહ્યું છે, એનાપહેલાં પણ ચોમાસા દરમ્‍યાન ગટરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને આજદિન સુધી કામગીરી અધૂરી છોડવામાં આવેલ છે. જેના કારણે ગંદકીવાળુ પાણી ઘેરાયેલું રહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
અહીં નજીકમાં શાકભાજી વેચવા બેસતી મહિલાઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ રહી છે. આ ગટરના પાણીના યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા કર્યા બાદ જ તેને તોડવાની કામગીરી કરવી જોઈતી હતી. પરંતુ એવું નહીં થતાં હવે આ દુર્ગંધનો ભોગ ત્‍યાંથી પસાર થતા બની રહ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

Related posts

ગાંધીનગરમાં યોજાયેલ દેશની પ્રથમ યુવા મોડેલ એસેમ્‍બલીમાં વાંસદાના વિદ્યાર્થીએ ભાગ લીધો

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

ભાજપ દમણ જિલ્લાની ટીમે સંઘપ્રદેશ કલેક્‍ટર ડૉ. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

Leave a Comment