September 5, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે મુખ્‍ય ચાર રસ્‍તા નજીક ગટરના પાણીના નિકાલની વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. હાલમાં આ ગટરને તોડવાનું કામ ચાલી રહ્યું છે, એનાપહેલાં પણ ચોમાસા દરમ્‍યાન ગટરને તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને આજદિન સુધી કામગીરી અધૂરી છોડવામાં આવેલ છે. જેના કારણે ગંદકીવાળુ પાણી ઘેરાયેલું રહે છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે.
અહીં નજીકમાં શાકભાજી વેચવા બેસતી મહિલાઓ પણ આ દુર્ગંધથી પરેશાન થઈ રહી છે. આ ગટરના પાણીના યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા કર્યા બાદ જ તેને તોડવાની કામગીરી કરવી જોઈતી હતી. પરંતુ એવું નહીં થતાં હવે આ દુર્ગંધનો ભોગ ત્‍યાંથી પસાર થતા બની રહ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

Related posts

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment