(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી:નવસારી જિલ્લાની તમામ જાહેર જનતાને જણાવવાનું કે, તા.૦૬/૦૧/૨૦૨૨ થી કોરોનાનું (Omicron Variant) સંક્રમણ વધતા ગુજરાત સરકારશ્રીના તમામ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેથી જાન્યુઆરી-૨૦૨૨ થી શરૂ થનાર તબકકાવાર કલા મહાકુંભ સ્પર્ધાઓ બીજી સુચના ના મળે ત્યાં સુધી સ્થગિત રાખવાની સુચના વડી કચેરી દ્વ્રારા આપવામાં આવેલ છે.જેની નોંધ લેવા નમ્ર વિનંતી.