March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના રીંગરોડ પર છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહેલ છે જેના કારણે બાલાજી જેમ્‍સ સોસાયટીની સિવરેજ લાઈન બંધ થઈ જવા પામી છે. જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફરી વળતાં ભારે ગંદકીનો માહોલ ઉભો થયો છે. ડ્રેનેજના ફેલાયેલા ગંદા પાણીથી સોસાયટીના તથા સ્‍થાનિક રહીશોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે યાદ રહે દાનહમાં ડેગ્‍યુનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ડેન્‍ગ્‍યુના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્‍યો છે. ત્‍યારે આ ડ્રેનેજના પાણીના કારણેસોસાયટીમાં રોગ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. શાળાએ જતા બાળકોને પણ વહી રહેલા ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્‍ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્‍યા સંદર્ભે સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ધ્‍યાન આપવામાં આવે એવી સોસાયટીના લોકોની લાગણી અને માંગણી છે.

Related posts

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

Leave a Comment