April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના રીંગરોડ પર છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહેલ છે જેના કારણે બાલાજી જેમ્‍સ સોસાયટીની સિવરેજ લાઈન બંધ થઈ જવા પામી છે. જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફરી વળતાં ભારે ગંદકીનો માહોલ ઉભો થયો છે. ડ્રેનેજના ફેલાયેલા ગંદા પાણીથી સોસાયટીના તથા સ્‍થાનિક રહીશોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે યાદ રહે દાનહમાં ડેગ્‍યુનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ડેન્‍ગ્‍યુના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્‍યો છે. ત્‍યારે આ ડ્રેનેજના પાણીના કારણેસોસાયટીમાં રોગ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. શાળાએ જતા બાળકોને પણ વહી રહેલા ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્‍ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્‍યા સંદર્ભે સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ધ્‍યાન આપવામાં આવે એવી સોસાયટીના લોકોની લાગણી અને માંગણી છે.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

Leave a Comment