January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરાયેલા સંઘપ્રદેશના એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાંથી 10 વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી આઉટરીચ કોર્સની તાલીમ

  • આઉટરીચ કોર્સની તાલીમ પૂર્ણ કરનાર 10 વિદ્યાર્થીનીઓને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલ અને કેમ્‍પસના ડાયરેક્‍ટર ડો. સંદીપ સંચાનના હસ્‍તે વિતરણ કરાયા પ્રમાણપત્રોઃ ઉજ્જવળ ભવિષ્‍ય માટે પાઠવેલી શુભેચ્‍છા

  • એનઆઈએફટી- દમણ કેમ્‍પસનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ કોર્સ પૂર્ણ કરનાર 10 વિદ્યાર્થીનીઓનો આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે જાતે ઉઠાવેલો ખર્ચ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં કાર્યરત નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ ફેશન ડિઝાઇનિંગ કેમ્‍પસ (એનઆઈએફટી)એ આઉટરીચ પ્રોગ્રામ કોર્સ પૂર્ણ કરનાર 10 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણના નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(એનઆઈએફટી) કેમ્‍પસના ડાયરેક્‍ટર ડૉ. સંદીપ સચાન અને મુખ્‍ય અતિથિ અટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે રંગોની નામનો અઠવાડિયાનો હાઇબ્રિડ મોડ શોર્ટ પ્રોગ્રામ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણકરનાર 10 વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રો આપ્‍યા હતા. સાથે સમાજ અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છા પાઠવી હતી.
પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં એનઆઈએફટી- દમણ કેમ્‍પસના નિયામક ડૉ. સંદીપ સચાને જણાવ્‍યું હતું કે અમારો ઉદ્દેશ્‍ય ફેશન અને ડિઝાઇન ક્ષેત્રે પ્રતિભાને ઓળખવાનો અને તેનું સંવર્ધન કરવાનો છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્‍યાં આવી તકો મર્યાદિત છે.
કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે એનઆઈએફટી- દમણ કેમ્‍પસના આઉટરીચ પ્રોગ્રામ કોર્સના પ્રારંભ પર ખુશી વ્‍યક્‍ત કરી હતી. અભ્‍યાસક્રમ પૂરો કર્યા બાદ વિદ્યાર્થીનીઓ આનંદથી ભાવવિભોર બની હતી. શ્રીમતી ઉર્વશીબેન પટેલે તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રયાસોથી એનઆઈએફટી- દમણ કેમ્‍પસનું સંચાલન થઈ રહ્યું છે. તેમણે યુવાનોને એનઆઈએફટી-દમણ કેમ્‍પસમાં અભ્‍યાસ કરીને ફેશન ડિઝાઇનર તરીકે ઉજ્જવળ ભવિષ્‍ય બનાવવા આહ્‌વાન કર્યું હતું. શ્રીમતી ઉર્વશીબેન પટેલે એનઆઈએફટી – દમણ કેમ્‍પસ વિશે સ્‍થાનિક લોકોમાં જાગૃતિના અભાવને કારણે દમણ કેમ્‍પસને વધુ પ્રચાર કરવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, એનઆઈએફટી- દમણ કેમ્‍પસના ટૂંકા ગાળાના અભ્‍યાસક્રમો ખૂબ જ મહત્‍વપૂર્ણ છે જેમાંઘણા લોકો પાસે ન તો વધુ શૈક્ષણિક શિક્ષણ છે કે ન તો વય મર્યાદાનું કોઈ નિયંત્રણ છે, જેનો લાભ નવી પેઢી અને ગૃહિણીઓએ ઉઠાવીને પોતે સ્‍વનિર્ભર બનવાનો પ્રયાસ કરવાની જરૂર છે. આ પ્રસંગે વિષય શિક્ષક શ્રી અંશુ ચૌધરીએ પણ સંબોધન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એનઆઈએફટી- દમણ કેમ્‍પસનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ કોર્સ પૂર્ણ કરનાર દસ વિદ્યાર્થીનીઓનો ખર્ચ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પોતે ઉઠાવ્‍યો હતો. આ કોર્સ પૂર્ણ કરનારી દસ છોકરીઓ બુટીક બિઝનેસ સેક્‍ટરમાં કુશળ બની શકે છે અને રોજીરોટી કમાઈ શકે છે.

Related posts

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

Leave a Comment