(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૧: ભારત સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦% e-KYC કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. e-KYC ની કામગીરી અરજદાર જાતે એપ્લિકેશન મારફતે પણ કરી શકે છે. આ ઉપરાંત અરજદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે મારફતે આ કામગીરી પૂર્ણ કરી શકે છે. VCE ની કામગીરી માટે સરકારશ્રી દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપલબ્ધ સુવિધાનો વધુમાં વધુ લાભ લઈ ૧૦૦% e-KYC ની કામગીરી પૂર્ણ કરવા મામલતદાર વલસાડ (ગ્રામ્ય)એ જાહેર જનતાને અપીલ કરી છે.