April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.12: ચોમાસાના અંતિમ તબક્કામાં નહિવત વરસાદને પગલે ખાસ કરીને પાછળથી ડાંગરની રોપણી કરનારા ખેડૂતોની પાક નિષ્‍ફળ જવાની ભીતિએ ચિંતા વધવા પામી હતી. ચીખલી અને ગણદેવી તાલુકામાં ચોમાસુ ડાંગરનો પાક મોટાપાયે ખેડૂતો કરતા હોય છે. અને છોડ પર કંઠી બેસી ગયા બાદ જરૂરિયાત ના સમયેપાણી ન મળે તો પાક નિષ્‍ફળ પણ જતો હોય છે. આ ઉપરાંત હળદળ, કંદ, સુરણ તથા અન્‍ય શાકભાજીનું પણ ઉત્‍પાદન ખેડૂતો કરતા હોય છે. તેવામાં વરસાદ ખેંચાતા અને ચોમાસાની વિદાય જણાતા પાક નિષ્‍ફળ જાય તો આખી સિઝનમાં ખાતર, બિયારણ, મજૂરી દવા પાછળનો ખર્ચ ખેડૂતોને માથે પડવા સાથે આર્થિક ફટકો લાગતો હોય છે.
જોકે આ પ્રકારની સ્‍થિતિમાં ચીખલીમાં સિંચાઈ વિભાગના અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચીખલી તેજલાવ ડિસ્‍ટ્રીબ્‍યુટરી અને તેની શાખા નહેરોમાં તા.06/10/23ના રોજ થી પાણી છોડવામાં આવતા ડાંગર સહિતના ખેતી પાકોને પાણી મળતા અને પાકોને જીવંતદાન મળતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે. ચીખલી અને ગણદેવી વિસ્‍તારમાં હાલે પૂરતા દબાણ સાથે પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતો દ્વારા અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

Related posts

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment