April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

અમૃત કળશ દિલ્‍હી પહોંચી પારડી નગર તરફથી પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: મારી માટી મારો દેશ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિત્તે જેવો થકી આપણને આઝાદી મળી છે એવા વીર શહીદોની યાદમાં આઝાદી પછી જેમનો જન્‍મ થયો હોય એવા તમામ લોકો પણ આપણને આઝાદી કેવી રીતે મળી તે જાણે જેને લઈ સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ અંતર્ગત એક અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે અને સમગ્ર દેશની માટી દિલ્‍હી ખાતે તૈયાર થનારા અમૃતવાટિકામાં વાપરી આઝાદી માટે શહીદ થનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આજરોજ પારડી ખાતે પણ અમૃત કળશ યાત્રાની શોભા યાત્રાને ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લીલી ઝંડી બતાવી નગરમાં રવાના કરવામાં આવી હતી અને આ શોભા યાત્રામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પોતે પણ જોડાયા હતા.
પારડી ચાર રસ્‍તાથી ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકર્તાઓ અને પારડી કુમારશાળા, કન્‍યાશાળાના બાળકો સાથે નીકળેલી આ શોભાયાત્રા પારડી લીમડા ચોક થઈ સ્‍ટેટ બેન્‍કથી કંસારવાડ થઈ દમણીઝાપા પહોંચી હતી. આમ પારડીના તમામવોર્ડમાં આ શોભાયાત્રા અમૃત કળશ સાથે ફરી આપણા શહેરની માટી લઈ ગાંધીનગર અને ત્‍યાંથી દિલ્‍હી રવાના થશે. આમ દિલ્‍હીમાં તૈયાર થનારા અમૃતવાટિકામાં આપણા નગરની માટીનો પણ ઉપયોગ થઈ આઝાદી માટે લડનારા વીર શહીદોને પારડી નગર તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા મહામંત્રી શીલ્‍પેશભાઈ દેસાઈ, પારડી નગરપાલિકા વહીવટદાર અને મામલતદાર આર. આર.ચૌધરી, ચીફ ઓફિસર બી.બી.ભાવસાર, પારડી નગર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી કેતન પ્રજાપતિ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જેસીંગ ભરવાડ, મહામંત્રી ઝુબીન દેસાઈ, દેવેન શાહ, ફાલ્‍ગુની ભટ્ટ રાજન ભટ્ટ, ધર્મેશ મોદી, કિરણ પટેલ, સંજીવ ભટ્ટ, રીટા પ્રજાપતિ રણજીત પ્રજાપતિ, ગોવિંદભાઈ પટેલ, જીતુ ઓઝા, સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ભાજપ કાર્યકર્તાઓ, પારડી કુમારશાળા અને કન્‍યાશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાઈ શોભાયાત્રા સફળ બનાવી હતી.

Related posts

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચિંગ કરતા બે આરોપી ઝડપાયા

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

Leave a Comment