April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

દમણના તમામ વાઈનશોપ અને બાર-રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા સર્વ સંમતિથી ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખની સોંપાયેલી જવાદબારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ ગુલાબભાઈ પટેલના નામની સર્વ સંમતિથી વરણી કરી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે તા.16મી ઓક્‍ટોબરે મળેલી ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લીધો હોવાનું દમણના તમામ વાઈનશોપ અને બાર-રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા સર્વ સંમતિથી નવા પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ ગુલાબભાઈ પટેલની વરણીકરી હોવાનું જણાવાયું છે.
હવેથી તમામ પ્રકારનો પત્ર વ્‍યવહાર તથા નીતિ વિષયક નિર્ણયોમાં પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનની જવાબદારી નિભાવશે. સાથે ધ દમણ વાઈ મરચન્‍ટ એસોસિએશનની સમસ્‍યાઓ અને અન્‍ય બાબતો માટે પણ સંબંધિત વિભાગ કે અધિકારી સમક્ષ જરૂરી રજુઆત કરશે.
અત્રે નોંધનીય છે કે, દમણની રેવન્‍યુમાં ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનું મોટું યોગદાન છે. દમણના વાઈન શોપો અને બાર રેસ્‍ટોરન્‍ટને કારણે લગભગ 10 હજારથી વધુ લોકોને પ્રત્‍યક્ષ અથવા પરોક્ષ રીતે રોજગાર મળે છે.
ધ દમણના મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સ્‍વીકારતા શ્રી મહેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, તેઓ તેમને મળેલી જવાબદારીને પૂરી નિષ્‍ઠા અને ઈમાનદારીથી નિભાવશે. બેઠકમાં ઉપસ્‍થિત તમામનો ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલે આભાર માન્‍યો હતો.

Related posts

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment