March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

સ્‍થાનિક આગેવાનો, કાર્યકરોએ ધરમપુર શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પડઘા ધરમપુરમાં પણ પડયા હતા. ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્‍તારો સંપુર્ણ બંધ રહ્યાહતા.
એસ.સી., એસ.ટી. અનામત અંગે માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયના વિરોધમાં ધરમપુર સંપુર્ણ બંધ રહ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને સુત્રોચ્‍ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્‍યાં મહામહિમ રાષ્‍ટ્રપતિને શ્રી મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવાયું હતું. આદિવાસી સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્‍યું હતું. તેના જાહેર આબાર માનવામાં આવ્‍યો હતો. મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રક, ટેમ્‍પો અને બે કાર મળી ચાર વાહનો વચ્‍ચે સર્જાયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

Leave a Comment