સ્થાનિક આગેવાનો, કાર્યકરોએ ધરમપુર શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પડઘા ધરમપુરમાં પણ પડયા હતા. ધરમપુર તાલુકામાં આદિવાસી વિસ્તારો સંપુર્ણ બંધ રહ્યાહતા.
એસ.સી., એસ.ટી. અનામત અંગે માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયના વિરોધમાં ધરમપુર સંપુર્ણ બંધ રહ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં મહામહિમ રાષ્ટ્રપતિને શ્રી મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવાયું હતું. આદિવાસી સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. તેના જાહેર આબાર માનવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.