સલવાવ ગુરુકુળ અને જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલા મુક્તાનંદ માર્ગ ઉપર નવરાત્રી મહોત્સવ ‘‘રાસ રસીયા”ની ભારે જમાવટ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી સલવાવ સ્વામીનારાયણ ગુરુકુળ અને જનમ ચેરીટેબલટ ટ્રસ્ટ દ્વારા ચલા મુક્તાનંદ માર્ગ ઉપર રાસ રસીયા નવરાત્રી મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી કાર્યક્રમમાં પૂર્વ મિસ ઈન્ડિયા સીમરન આહુજાએ મંગળવારે રાત્રે સ્પે. સેલીબ્રીટી તરીકે ઉપસ્થિત રહી ભારે આકર્ષણ જમાવ્યું હતું.
મુંબઈના પ્રસિધ્ધ ગરબા ગાયક પ્રેમ ભારતી અને તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવમાં રંગ જમાવી રહી છે. રોજેરોજ સન્માનીત હસ્તીઓ પધારે છે અને ખેલૈયાઓનો જુસ્સો વધારી રહી છે. રાસ રસીયા નવરાત્રી મહોત્સવમાં દિવસ દરમિયાન સ્ટોલનું આયોજન કરાયું છે. જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. કેમ્પસ ફાયર સેફટી મેડિકલસુવિધાથી સજ્જ રાખવામાં આવેલ છે. નવરાત્રીની આવક રેલવે સ્ટેશન ઉપર ચાલતા અન્ન ક્ષેત્ર માટે વાપરવામાં આવનાર છે.