July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

વિરોધપક્ષના આક્ષેપો : પાલિકાના નિર્ણયોમાં વહાલા દવલાની નિતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નગરપાલિકા સભાખંડમાં આજે મંગળવારે સામાન્‍ય સભા યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં પાલિકા દ્વારા હાથ ધરાનારા વિકાસ કામોની રૂપરેખા અપાઈ હતી તેમજ ગત સભાના વિકાસ કામોની બહાલી અપાઈ હતી.
ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસ કાર્યો બહાલી આપવા માટે 10 દિવસ વહેલી સામાન્‍ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહની અધ્‍યક્ષતામાં યોજાયેલ સભામાં ચીફ ઓફિસર શૈલેષ પટેલે નગર સેવકોને દિવાળી શુભેચ્‍છા પાઠવી આજની સભામાં મહત્ત્વના વિકાસ કાર્યોની બહાલી અપાઈ હતી. તેમાં ડુંગરામાં એસ.ટી.પી. પ્‍લાન્‍ટ અને સંપ માટે 4 ઓકરની જમીન સંપાદિત કરાઈ છે. તેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તદ્દઉપરાંત જે ટાઈપ આર.ઓ.બી. પડેસ્‍ટ્રીયલ બ્રીજની મંજૂરી મેળવી આગામી સમયે કામ હાથ ધરાશે તેમજ ચલામાં નવુ ફાયર સ્‍ટેશન ઉભુ કરાશે અને રેલવે ગરનાળાનું બ્‍યુટીફીકેશન કરવા જેવા કામો સભામાં ચર્ચાયા હતા. તેમજ બહાલી પણ અપાઈ હતી. પાલિકાની સભામાં વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ અનેકોંગ્રેસ સભ્‍યએ આક્ષેપ કર્યા હતા કે પાલિકાના વિકાસ કાર્યોના નિર્ણયોમાં વહાલા-દવલાનો ભેદભાવ રખાય છે. જેનો ભોગ પ્રજા બની રહી છે. સભ્‍યો તરફથી થયેલી રજૂઆતો ધ્‍યાને લઈ કામ થશે તેવી ખાત્રી આપી હતી. ઉપ પ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત તમામ નગરસેવકો સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા સ્‍વ. હિરાબાને ભાવાંજલિ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment