October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: સમગ્ર રાજ્‍યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્‍વ.અટલ બિહારી બાજપાઈના જન્‍મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.19 ડિસેમ્‍બર, 2024થી તા.25 ડિસેમ્‍બર 2024 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
કલેક્‍ટરશ્રી નૈમેષ દવે જણાવ્‍યું હતું કે, સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્‍ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્‍મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેનો છે. વર્કશોપના મુખ્‍ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના પૂર્વ કલેકટર રહી ચૂકેલા એલ. સી. પટેલ (આઈએએસ) એ ઉપસ્‍થિત રહી અધિકારીઓને જણાવ્‍યું હતું કે, પ્રજાના કોઈપણ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્‍મક અભિગમ અપનાવવાથી જ અરજદારને સંતોષ મળે છે તેમજ લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. આજના યુગમાં સરકાર અને વહીવટી તંત્ર તરફ લોકોનીઆશાઓ વધી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા માટે પ્રોત્‍સાહન આપ્‍યું હતું.
વર્કશોપમાં વલસાડ જિલ્લા વિઝન- 2047 ની મુખ્‍ય ત્રણ થીમ ‘શ્રેષ્ઠ જીવન’, ‘આર્થિક સમૃદ્ધિ’, અને ‘મુખ્‍ય સક્ષમકર્તા’, વલસાડ જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત વલસાડના ધ્‍યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલે વિદ્યાર્થીઓના ઉજ્‍વળ ભવિષ્‍ય માટે શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં થઈ રહેલી કામગીરી અને ભવિષ્‍યની કામગીરી અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમજ જિલ્લા પંચાયત દ્વારા ‘કિશોરી સ્‍વાભિમાન પ્રોજેક્‍ટ’ અને ‘સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોજેક્‍ટ’ અંગે પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું.
વર્કશોપમાં નિવાસી અધિક કલેક્‍ટરશ્રી અનસુયા જ્‍હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ. કે કલસરિયા, જિલ્લા આયોજન અધિકારી ભરત પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે નવીનગરી પ્રા. શાળા, માલનપાડાના શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ પરમારનું શ્રેષ્ઠ શિક્ષક – રાજ્ય પારિતોષિકથી સન્માન

vartmanpravah

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબધ્‍ધ કરાયા

vartmanpravah

Leave a Comment