Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભામટી ખાતે યોજાયેલ 76મા સ્‍વાતંત્ર્ય દિન પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે તિરંગો લહેરાવ્‍યા બાદ વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતાની આદત પાડવા ટકોર કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, તમારા ઘરે પણ મમ્‍મી-પપ્‍પા કે દાદા-દાદીને કચરો ગમે ત્‍યાં ફેંકવા નહીં પરંતુ કચરા ટોપલીમાં જ નાંખવા અને સૂકો તથા ભીનો કચરો અલગ અલગ કરવા સમજણ આપવા જણાવ્‍યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના વક્‍તવ્‍યમાં યાદ અપાવતા જણાવ્‍યું હતું કે, આ ભામટી શાળામાં જ હું ધોરણ 1 થી 7નો અભ્‍યાસ કર્યો છે. આ શાળા પ્રત્‍યે મને હંમેશા અંગત લાગણી રહી છે. તેમણે વિદ્યાર્થીઓને ખુબ મહેનત કરવા અને મોબાઈલ ફોનથી દૂર રહેવા સલાહ આપી હતી.
આ પ્રસંગે પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્યા શ્રીમતી પ્રેમિલાબેન ટંડેલ અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાઈન્‍ચાર્જ આચાર્યા શ્રીમતી દીપ્તીબેન ભગત, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સહિત સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમીટિના સભ્‍યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
—————

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

Leave a Comment