April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નવરાત્રીની સાથે સાથે હેલ્‍થકેરનું આયોજન: પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં કેન્‍સર અવેરનેશ સેમિનાર યોજાયો

21 સેન્‍ચુરી કેન્‍સર હોસ્‍પિટલના ડો.અક્ષર નાડકર્ણી, ડો.વૈભવ નાડકર્ણી અને ડો.સોમ્‍યા નાડકર્ણીએ બેસ્‍ટ કેન્‍સરની વિસ્‍તૃત જાણકારી આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપીમાંનવરાત્રી મહોત્‍સવ માત્ર ધાર્મિક આયોજન પુરતા મર્યાદિત નહી રહેતા એક ડગલુ આગળ વધી સામાજીક ઉત્‍થાન પણ થઈ રહ્યું છે. છરવાડા વાપી સ્‍થિત પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં નવરાત્રી દરમિયાન કેન્‍સર અવેરનેશ કેમ્‍પનું પણ આયોજન કરી સોનામાં સુગંધ મળે તેવી ઉમદા કામગીરી થઈ હતી. 21મી સેન્‍ચ્‍યુરી કેન્‍સર હોસ્‍પિટલ વાપીની તબીબી ટીમેસ્ત્રી રોગ અને ખાસ કરીને બ્રેસ્‍ટ કેન્‍સર અંગે નવરાત્રીમાં બહેનોને પાયાની વિસ્‍તૃત જાણકારી આપી હતી.
છરવાડા વાપી સ્‍થિત પ્રમુખ હિલ્‍સ સોસાયટીમાં નવરાત્રીના સાતમા નોરતાએ 21 સેન્‍ચ્‍યુરી કેન્‍સર હોસ્‍પિટલના ડો.અક્ષર નાડકર્ણી, ડો.વૈભવ નાડકર્ણી અને ડો.સોમ્‍યા નાડકર્ણી દ્વારાસ્ત્રી રોગ અનેસ્ત્રીઓને થતો બ્રેસ્‍ટ કેન્‍સર રોગ વિષે ઉપસ્‍થિત સોસાયટીની બહેનોને વિસ્‍તૃત જાણકારી સાથે કેન્‍સર અવેરનેશ અંગેની ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે ડો.અક્ષર નાડકર્ણીએ જણાવ્‍યું હતું કે, સોસાયટીની કેટલીક બહેનો અમને મળી હતી અને કેન્‍સર અવેરનેશ સેમિનારનો પ્રસ્‍તાવ આપેલો તે અમે સ્‍વીકારીને આ આયોજન કર્યું છે. આ સમાજ ઉત્‍થાનની કામગીરી છે. એના સંદર્ભમાં આઠમના પવિત્ર નોરતાએ હોસ્‍પિટલ તરફથી સોસાયટીની 108 બાળાઓને ચણીયા ચોળી પ્રદાન કરાઈ હતી. સામાજીક ઉત્‍થાન રૂપે આ ચણીયા ચોળીઓ અંતરીયાળ આદિવાસી યુવતિઓએ જતૈયાર કરી છે. તેમની પાસેથી ખરીદી કરાઈ છે જેથી આદિવાસી યુવતિઓને પણ રોજગાર મળી રહે. વાપીમાં હવે નવરાત્રી ધીરે ધીરે ધાર્મિક ઉજવણીની સાથે સાથે અન્‍ય સમાજ ઉત્‍થાન કાર્યક્રમો થઈ રહ્યા છે જે પ્રશંસનીય છે.

Related posts

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment