December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: નવરાત્રી એ માઁ શક્‍તિની આરાધના પર્વમાં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે. કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખીને ગરબા કરતા હોય છે ત્‍યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રીના દિવસો દરમ્‍યાન ચાણોદ કોલોની ખાતે આવેલા માતાજી માઁ મંદિરે આરતી પૂજા કર્યા બાદ નવમાં દિને 11 કુંવરિકા બાળાઓને પ્રસાદ વિતરણ કરાય છે.
રાજેશભાઈ ગોયેલ અને તેમના ધર્મપત્‍ની લક્ષ્મીબેન ગોયેલ દ્વારા નવરાત્રીના માઁ અંબેના આશીર્વાદ માટે આરતી પૂજા ખૂબ ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવે છે. ગોયેલ પરિવાર માને છે કે માઁ ના આશીર્વાદમેળવવા માટે નવરાત્રી જેવું એકે પણ ધાર્મિક પર્વ નથી. 9 દિવસ સુધી સતત રાજેશભાઈ અને લક્ષ્મીબેન ગોયેલ દ્વારા ભક્‍તિભાવ પૂર્વક પૂજન અર્ચના કરવામાં આવે છે, અષ્ટમીના દિને મહા આરતી ચાણોદ અંબેમાતા મંદિરે દર વર્ષે તેમના તરફથી આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમના પરિજનો અને ગોયેલ દંપતી દ્વારા પૂજન કરવામાં આવ્‍યું હતું સાથે જ નવમીના દિને મંદિર પરીસરમાં તેમજ તેમની કંપનીમાં કુલ 11 કુવારીકા બાળાઓને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આજે ગોયેલ દંપતી દ્વારા મંદિરે 11 બાળાને માતાજીના અંશ માનીને તેમની પૂજા કર્યા બાદ ખૂબ ભક્‍તિ ભાવ પૂર્વક પ્રસાદનો લાભ આપવામાં આવ્‍યો છે. ગોયેલ દંપતી વર્ષોથી માતાજીની આરાધના કરે છે અને આગામી વર્ષોમાં પણ તેઓ માતાજીની આરાધના કરતા રહેશે. આ વર્ષે પણ તેમના દ્વારા ચાણોદ અંબેમાતા મંદિરે ભક્‍તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment