Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: નવરાત્રી એ માઁ શક્‍તિની આરાધના પર્વમાં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે. કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખીને ગરબા કરતા હોય છે ત્‍યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રીના દિવસો દરમ્‍યાન ચાણોદ કોલોની ખાતે આવેલા માતાજી માઁ મંદિરે આરતી પૂજા કર્યા બાદ નવમાં દિને 11 કુંવરિકા બાળાઓને પ્રસાદ વિતરણ કરાય છે.
રાજેશભાઈ ગોયેલ અને તેમના ધર્મપત્‍ની લક્ષ્મીબેન ગોયેલ દ્વારા નવરાત્રીના માઁ અંબેના આશીર્વાદ માટે આરતી પૂજા ખૂબ ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવે છે. ગોયેલ પરિવાર માને છે કે માઁ ના આશીર્વાદમેળવવા માટે નવરાત્રી જેવું એકે પણ ધાર્મિક પર્વ નથી. 9 દિવસ સુધી સતત રાજેશભાઈ અને લક્ષ્મીબેન ગોયેલ દ્વારા ભક્‍તિભાવ પૂર્વક પૂજન અર્ચના કરવામાં આવે છે, અષ્ટમીના દિને મહા આરતી ચાણોદ અંબેમાતા મંદિરે દર વર્ષે તેમના તરફથી આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમના પરિજનો અને ગોયેલ દંપતી દ્વારા પૂજન કરવામાં આવ્‍યું હતું સાથે જ નવમીના દિને મંદિર પરીસરમાં તેમજ તેમની કંપનીમાં કુલ 11 કુવારીકા બાળાઓને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આજે ગોયેલ દંપતી દ્વારા મંદિરે 11 બાળાને માતાજીના અંશ માનીને તેમની પૂજા કર્યા બાદ ખૂબ ભક્‍તિ ભાવ પૂર્વક પ્રસાદનો લાભ આપવામાં આવ્‍યો છે. ગોયેલ દંપતી વર્ષોથી માતાજીની આરાધના કરે છે અને આગામી વર્ષોમાં પણ તેઓ માતાજીની આરાધના કરતા રહેશે. આ વર્ષે પણ તેમના દ્વારા ચાણોદ અંબેમાતા મંદિરે ભક્‍તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment