October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ કેતન પટેલે કરેલો ધડાકોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસને લાભ થવાનું માંડવામાં આવેલું રાજકીય ગણિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: ભાજપે 195 લોકસભા બેઠક માટે ઉમેદવારો જાહેર કરીને કરેલા મોટા ધડાકા વચ્‍ચે હવે કોંગ્રેસના નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ ઉપરથી ચૂંટણી લડી શકે એ પ્રકારનો ધડાકો દમણ-દીવ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે. કોંગ્રેસનો આ દાવપેચ છે કે પછી વાસ્‍તવિકતા તે આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થઈ જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા શ્રીમતી પ્રિયંકા ગાંધી વાઢેરા દમણ-દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ-દીવ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી કેતન પટેલે કર્યો છે.તેમણે દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનો મમરો પણ મુક્‍યો છે. દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થઈ શકે એવું માનવામાં આવે છે. દમણના કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર કોંગ્રેસને ફાયદો થવાની ગણતરી માંડવામાં આવી રહી છે. જ્‍યારે દીવના કારણે સૌરાષ્‍ટ્રની બેઠકો ઉપર પણ અસર થવાનો તાળો લગાવવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવાય છે કે, એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ તૂટવાના આરે પહોંચ્‍યો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવા દમણ-દીવ બેઠક ઉપરથી શ્રીમતી પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાના સપના જોવાઈ રહ્યા છે.

Related posts

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

vartmanpravah

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

Leave a Comment