September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

કલીયુગમાં પણ ચમત્‍કાર બને છે તેવું ભક્‍તોએ જમાવ્‍યું : મોટાભાઈની વિદાય બાદ નાના ભાઈ રડી પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ધરમપુરમાં સોમવારે સારંગપુર હનુમાન દાદા સંસ્‍થાનને 175 શતાબ્‍દિ વર્ષની ઉજવણી અંતર્ગત દાદા રથમાં બિરાજી ભક્‍તોને દર્શન આફવા ગામેગામ ફરી રહ્યા છે તે અંતર્ગત આજે ધરમપુર હનુમાન મંદિરે સારંગપુરનો રથ આવ્‍યો હતો. લોકોના દર્શન બાદ રથ ધરમપુરથી નિકળી વાપી તરફ જવા નિકળ્‍યો હતો ત્‍યારે ચમત્‍કાર સર્જાયો હતો.
ધરમપુર હનુમાન મંદિરથી સારંગપુરનો રથ વિદાય થયા બાદ ધરમપુરના હનુમાન મંદિરના દાદાની આંખમાં આંસુ દેખાયા હતા. મુખ્‍ય મહંત અને ભાવિકોએ દોડી આવ્‍યા હતા. શ્રધ્‍ધાળુ ભાવિકોએ વિડીયો પણ ઉતારતા હતા. મહંત હરિવલ્લભદાસજીએ જણાવ્‍યું હતું કે, મોટાભાઈ નાનાભાઈને મળીને વિદાય થાય તેનું દુઃખ વક્‍ત કર્યુ છે. ઘટનાની જાણ શહેરમાં થતા હજારો ભાવિકો હનુમાન મંદિરે ઉમટી પડયા હતા. મહંતે માફી પણ માંગી હતી કે દાદા હર્ષના આંસુ હોય તો વાંધો નહી પણ કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. લોકો માની રહ્યા હતા કે કલીયુગમાં ચમત્‍કાર થાય છેજેનો આ પુરાવો છે.

Related posts

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment