October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

કલીયુગમાં પણ ચમત્‍કાર બને છે તેવું ભક્‍તોએ જમાવ્‍યું : મોટાભાઈની વિદાય બાદ નાના ભાઈ રડી પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ધરમપુરમાં સોમવારે સારંગપુર હનુમાન દાદા સંસ્‍થાનને 175 શતાબ્‍દિ વર્ષની ઉજવણી અંતર્ગત દાદા રથમાં બિરાજી ભક્‍તોને દર્શન આફવા ગામેગામ ફરી રહ્યા છે તે અંતર્ગત આજે ધરમપુર હનુમાન મંદિરે સારંગપુરનો રથ આવ્‍યો હતો. લોકોના દર્શન બાદ રથ ધરમપુરથી નિકળી વાપી તરફ જવા નિકળ્‍યો હતો ત્‍યારે ચમત્‍કાર સર્જાયો હતો.
ધરમપુર હનુમાન મંદિરથી સારંગપુરનો રથ વિદાય થયા બાદ ધરમપુરના હનુમાન મંદિરના દાદાની આંખમાં આંસુ દેખાયા હતા. મુખ્‍ય મહંત અને ભાવિકોએ દોડી આવ્‍યા હતા. શ્રધ્‍ધાળુ ભાવિકોએ વિડીયો પણ ઉતારતા હતા. મહંત હરિવલ્લભદાસજીએ જણાવ્‍યું હતું કે, મોટાભાઈ નાનાભાઈને મળીને વિદાય થાય તેનું દુઃખ વક્‍ત કર્યુ છે. ઘટનાની જાણ શહેરમાં થતા હજારો ભાવિકો હનુમાન મંદિરે ઉમટી પડયા હતા. મહંતે માફી પણ માંગી હતી કે દાદા હર્ષના આંસુ હોય તો વાંધો નહી પણ કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. લોકો માની રહ્યા હતા કે કલીયુગમાં ચમત્‍કાર થાય છેજેનો આ પુરાવો છે.

Related posts

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

Leave a Comment