April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

ઘેકટી ગામે ખાલી પડેલી સરપંચની ચૂંટણી લડવા માટે ભાજપના ઉમેદવારો થનગની રહ્યા છે

સરપંચની ચૂંટણી લડવા માટે થનગની રહેલા આગેવાનોમાં પણ ચહલ પહલ વધી જવા પામી છે. તાલુકામાં આ સાથે 12 ગામોના 14-જેટલા વોર્ડ સભ્‍યોનીપણ પેટા ચૂંટણી યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી આવનાર સમયમાં જાહેર થવાની શકયતા વચ્‍ચે મામલતદાર કચેરી દ્વારા મતદાર યાદી સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે અને જરૂરી તમામ વિગતો પણ ઉપલી કચેરીએ પહોંચાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.
તાલુકામાં કણભાઈ અને સતાડીયા ગ્રામ પંચાયતની મુદત પૂરી થતાં જ્‍યારે રૂમલા, આંબાપાડા, સિયાદા, પ્રધાનપાડા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળીયા ગામો ગ્રામ પંચાયતના વિભાજન થવાથી, ઘેકટી ગામે સરપંચનું નિધન થવાથી જ્‍યારે નોગામાં, સાદકપોર, ઢોલુમ્‍બરમાં અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થવાથી સરપંચોની બેઠક ખાલી પડેલ છે. જોકે સાદકપોર અને ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતનો વિવાદ નામદાર હાઇકોર્ટમાં હોય આ બે ગ્રામ પંચાયતોની હાલે પેટા ચૂંટણી યોજવાની શકયતા નહીંવત છે.
આ ઉપરાંત તાલુકાના મીણકચ્‍છ, હોન્‍ડ, તલાવચોરા, સાદકપોર, ઘેકટી, તેજલાવ, નોગામાં, સોલધરા, આમધરા, અગાસી, અંબાચ, સુરખાઈ સહિતના ગામોમાં કુલ-14 જેટલા વોર્ડ સભ્‍યોની ખાલી પડેલ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
જોકે સામાન્‍ય ચૂંટણી યોજવાની છે. તે ગ્રામ પંચાયતોમાં સરપંચ વોર્ડસભ્‍યોની બેઠક માટેની અનામત કેટેગરી પણ હજુ જાહેર થઈ નથી પરંતુ આવનાર નજીકના દિવસોમાં ગમે ત્‍યારે ચૂંટણી થઈ શકે તેવી સ્‍થિતિમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા આગેવાનોની પણ રાજકીય ચહલ પહલ વધી જવા પામી છે.

Related posts

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

Leave a Comment