October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

15મી ઓક્‍ટોબરથી 16 ડિસેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સમુહ સફાઈની ચાલી રહેલી ઝુંબેશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન હેઠળ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હાલમાં ચાલી રહેલ છે. જે અંતર્ગત સરકારની સૂચના મુજબ ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને સુરત ઝોનના પ્રાદેશિક કમિ‘રશ્રી ડૉ.ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન મુજન તા.25-11-2023 ને શનિવાર અને તા.26-11-2023ને રવિવારના રોજ વાપીના મુખ્‍ય બે રોડ કોપરલી રોડ અને આસોપાલવ સોસાયટીની છરવાડા રોડની સાફ સફાઈ કરવાની કામગીરી ખાસ ઝુંબેશના રૂપમાં કરવામાં આવેલ. જેમાં જેમાં મુખ્‍ય રોડને સ્‍વચ્‍છ અને ડસ્‍ટફી કરવાની કામગીરી કરવામાં આવેલ. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કશ્‍મીરા હેમલ શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ તથા પ્રાદેશિક કમિ‘ર નગરપાલિકાઓની કચેરી સુરતના અધિક કલેક્‍ટર વિનેશ બગુલ, ચીફ ઓફિસર શ્રી શૈલેષભાઈ પટેલના નેતૃત્‍વમાં કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં નગરપાલિકાના તમામ ચેરમેનો તથા સભ્‍યો, વાપી નગરપાલિકાના તમામ કર્મચારીઓ તથા વાપી શહેર ભાજપના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી શ્રી શીલપેશભાઈ તથા સંગઠનના કાર્યકર્તા તથા રોફેલ કોલેજ ના એનસીસીના વિદ્યાર્થીઓ તથા જાહેર નાગરિકોએ ભાગ લઈ કાર્યક્રમને સુંદર બનાવવામાં આવેલ હતો અને સ્‍વચ્‍છતા હી સેવા ના મંત્રને સાકાર કર્યો હતો.

Related posts

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

ચીખલી પોલીસે કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા 9 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

Leave a Comment