April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.26 : ભવિષ્‍ય વેતા શ્રી અંબાલાલની આગાહી મુજબ આજે વહેલી સવારથી દેશના ગુજરાત સહિતના કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે શહેરી થતા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીના કડાકા અને વાદળોના ગગડાટ અને પવનના સૂસવાટા સાથે વરસાદ ખાબકી પડયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે આભ તૂડી પડવા સમાન ચિંતાનું વાતાવર ઉભું થયું હતું. ખાસ કરીને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદના કારણે પ્રદેશમાં બાગાયતી અને શિયાળુ તથા શાકભાજીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. કેટલાક વિસ્‍તારમાં ખેતરમાં કાપી મુકેલા ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. જ્‍યારે ખળીમાં ખેડૂતો દ્વારા ડાંગરના કુંદવાઓ ભીંજાઈ નહીં જાય એના માટે ઉપર પ્‍લાસ્‍ટીક ઢાંકી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અચાનક આવી પડેલા વરસાદના કારણે દીવના કેટલાક વિસ્‍તારોમાં વીજળી ડુલ થવાના પણ બનાવો બન્‍યા હતા. વરસાદમોડી રાત્રિ સુધી ચાલુ જ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે રોગચાળો વધવાની પણ સંભાવના વર્તાઈ રહી છે. તેથી આરોગ્‍ય વિભાગ દ્વારા આગોતરા પગલાં પણ લેવાની તૈયારી આરંભી દેવી જોઈએ.

Related posts

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment