(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
સલવાવ તા.02: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) નો 39મો દ્વિદિવસીય વાર્ષિકોત્સવ આગામી તારીખ 6-1-2023 શુક્રવાર અને તારીખ 7-1-2023 શનિવારના રોજ બંનેદિવસ સાંજે 5 કલાકે યોજાશે. આ પ્રસંગે ‘વેદોહમ’ અને ‘શિવોહમ’ થીમ ઉપર વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સુંદર રંગારંગ રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, રાજ્યભરમાંથી સંતો, મહંતો આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આ 39માં વાર્ષિકોત્સવ ઉજવણી માટે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમાં વિશેષ મહાનુભાવોના સન્માન, સમાજમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન, સંસ્થાના વિતેલા વર્ષમાં ઉચ્ચ ગુણાંકન સાથે વિશેષ યોગ્યતા હાંસલ કરનાર તેજસ્વી તારલાઓના સન્માન કરી પ્રોત્સાહિત કરાશે. 1700 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરયેલા સાંસ્કળતિક કાર્યક્રમ જેમાં પ્રથમ દિવસે ‘‘વેદોહમ” અને બીજા દિવસે ‘‘શિવોહમ” આપણી ભારતીય સંકૃતિની ઝાંખી કરાવતા રસોત્સવની પ્રસ્તુતિ કરાશે.
આ પ્રસંગે સંત દર્શન સાથે ઉત્સવને માણવાનો લહાવો લેવા જાહેર ઈજન અપાયું છે.