Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
સલવાવ તા.02: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) નો 39મો દ્વિદિવસીય વાર્ષિકોત્‍સવ આગામી તારીખ 6-1-2023 શુક્રવાર અને તારીખ 7-1-2023 શનિવારના રોજ બંનેદિવસ સાંજે 5 કલાકે યોજાશે. આ પ્રસંગે ‘વેદોહમ’ અને ‘શિવોહમ’ થીમ ઉપર વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સુંદર રંગારંગ રસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં રાજ્‍યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, રાજ્‍યભરમાંથી સંતો, મહંતો આગેવાનો તથા મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહેશે.
સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ આ 39માં વાર્ષિકોત્‍સવ ઉજવણી માટે હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમાં વિશેષ મહાનુભાવોના સન્‍માન, સમાજમાં વિશેષ સ્‍થાન પ્રાપ્ત કરનાર સંસ્‍થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન, સંસ્‍થાના વિતેલા વર્ષમાં ઉચ્‍ચ ગુણાંકન સાથે વિશેષ યોગ્‍યતા હાંસલ કરનાર તેજસ્‍વી તારલાઓના સન્‍માન કરી પ્રોત્‍સાહિત કરાશે. 1700 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમ જેમાં પ્રથમ દિવસે ‘‘વેદોહમ” અને બીજા દિવસે ‘‘શિવોહમ” આપણી ભારતીય સંકૃતિની ઝાંખી કરાવતા રસોત્‍સવની પ્રસ્‍તુતિ કરાશે.
આ પ્રસંગે સંત દર્શન સાથે ઉત્‍સવને માણવાનો લહાવો લેવા જાહેર ઈજન અપાયું છે.

Related posts

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

Leave a Comment