ખાનવેલના એસ.ડી.પી.ઓ. બનતા નવનિયુક્ત આઈપીએસ અધિકારી સચિન યાદવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ મુજબ 2021 બેચના આઈપીએસ અધિકારી શ્રી સચિન યાદવનુંસંઘપ્રદેશમાં આગમન થતાં તેમને ખાનવેલના એસ.ડી.પી.ઓ. તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. જ્યારે શ્રી સિધ્ધાર્થ જૈનને આ પદ ઉપરથી રિલીવ કરી અતિરિક્ત એસ.ડી.પી.ઓ. ખાનવેલનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો. જ્યારે 2010 બેચના આઈપીએસ અધિકારી શ્રી અમિત શર્માની દમણથી સેલવાસ બદલી કરી દાનહના એસ.પી. તરીકેનો અખત્યાર સુપ્રત કરવામાં આવ્યો છે જ્યારે દાનહના એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાને દમણની જવાબદારી સુપ્રત કરાઈ હોવાનો આદેશ સંઘપ્રદેશના કાર્મિક વિભાગના નિર્દેશક સહ સંયુક્ત સચિવ શ્રી આશિષ મોહને જારી કર્યો છે.