Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ તેમજ નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારીગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્‍યા સર્જાતી હતી. જે સમસ્‍યાના નિવારણ માટે પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે પીડબ્‍લ્‍યુડી વિભાગ તેમજ પોલીસ તંત્રનું ધ્‍યાન દોર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને પી.ડબ્‍લ્‍યુ.ડી.ના અધિકારીઓ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ જોડાઈને દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ અને નારગોલ રોડ ઉપર કબજો જમાવવા માટે પાથરણાવાળાઓએ લારી ગલ્લા અને કામચલાઉ કેબીનો બનાવી દીધી હતી. જેને જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્‍યા હતા. આ કામગીરી બાદ ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માત સર્જાવવાની શકયતા દૂર થવા પામી છે.

Related posts

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્‍ક પહેરવાનું ફરજીયાત કરાયું

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

Leave a Comment