Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ તેમજ નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારીગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્‍યા સર્જાતી હતી. જે સમસ્‍યાના નિવારણ માટે પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે પીડબ્‍લ્‍યુડી વિભાગ તેમજ પોલીસ તંત્રનું ધ્‍યાન દોર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને પી.ડબ્‍લ્‍યુ.ડી.ના અધિકારીઓ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ જોડાઈને દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કૂલની સામેના માર્ગ અને નારગોલ રોડ ઉપર કબજો જમાવવા માટે પાથરણાવાળાઓએ લારી ગલ્લા અને કામચલાઉ કેબીનો બનાવી દીધી હતી. જેને જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્‍યા હતા. આ કામગીરી બાદ ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માત સર્જાવવાની શકયતા દૂર થવા પામી છે.

Related posts

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

Leave a Comment