Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.01: ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્‍સર હોસ્‍પિટલના ભૂમિદાન માટે સંકલ્‍પબદ્ધ કરવાના શુભ આશયસાથે શ્રી નરેશભાઈ પટેલ વિવિધ સ્‍થળનો પ્રવાસ કરી રહ્યા છે. ત્‍યારે શ્રી નરેશભાઈ પટેલ હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓએ વલસાડ જિલ્લાના વાપીનો પ્રવાસ કર્યો હતો. વાપીમાં શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્‍યાં લોકોએ ઉપસ્‍થિત રહીને શ્રી નરેશભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત-સન્‍માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્‍સર હોસ્‍પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને કેન્‍સર હોસ્‍પિટલના ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્‍થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Related posts

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

મધ્‍યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્‍લાસ્‍ટીક દાણા છેતરપીંડિ ગેંગના 4 ઈસમોને એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

Leave a Comment