(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.01: ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશયસાથે શ્રી નરેશભાઈ પટેલ વિવિધ સ્થળનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે શ્રી નરેશભાઈ પટેલ હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓએ વલસાડ જિલ્લાના વાપીનો પ્રવાસ કર્યો હતો. વાપીમાં શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યાં લોકોએ ઉપસ્થિત રહીને શ્રી નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.