Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી નિધન

  • ઈલેક્‍ટ્રીક લાઈનની સર્વિસનું કામ કરી રહેલા મુકેશ માહદુ વાઘનું અકાળે અવસાન થતાં ગામલોકોમાં ફેલાયેલો આક્રોશ

  • સરપંચ સહિત આગેવાનોએ ટોરેન્‍ટ પાવરના અધિકારી-એન્‍જિનિયરોની લીધેલી ખબરઃ પોતાની જવાબદારીમાંથી છટકવા ટોરેન્‍ટ પાવરે શરૂ કરેલી બહાનાબાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કૌંચા પંચાયત વિસ્‍તારમાં આવેલ બિલધરી પટેલ પાડા ખાતે આજે ઈલેક્‍ટ્રીકના થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પર મુકેશ વાઘનું શોક લાગવાથી નિધન થતાં ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય ઉદાસિનતા છતી થવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના કૌંચા પંચાયત ખાતે બિલધરી પટેલ પાડામાં એક ઈલેક્‍ટ્રીકના થાંભલા ઉપર ઈલેક્‍ટ્રીકલ કોન્‍ટ્રાક્‍ટર રોઝી ઈલેક્‍ટ્રીકલ્‍સ દ્વારા ટોરેન્‍ટ પાવર વતી ઈલેક્‍ટ્રીક લાઈનની સર્વિસનું કામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં મુકેશ માહદુ વાઘ (ઉ.વ.26) રહે. ગાઢવી ટમ્‍બલમલ (ગુજરાત) ટેક્‍નીકલ હેલ્‍પર તરીકે કામ કરતો હતો. પરંતુ ઈલેક્‍ટ્રીક પોલ ઉપર કામ કરતા સમયે અચાનક શોક લાગતાં ઘટના સ્‍થળે જ મોત થવા પામ્‍યું હતું.
આઘટનાની ખબર પડતાં જ તાત્‍કાલિક બીજા વાયરમેન દોડી આવ્‍યા હતા અને તેમણે નજીકની લાઈન બંધ કરી મુકેશની બોડીને નીચે ઉતારી હતી. આ ઘટનાની ખબર મળતાં જ ટોરેન્‍ટ પાવરના એન્‍જિનિયરો અને અધિકારીઓ દોડતાં થયા હતા. ગામના સરપંચ અને આગેવાનોએ પૂછપરછ કરતાં તેઓએ ગલ્લાતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. ટોરેન્‍ટ પાવરે પોતાની જવાબદારીમાંથી છટકવા બહાનાબાજી શરૂ કરી હોવાની ચર્ચા પણ ગામમાં થઈ રહી છે.
આ બાબતે ઘટના સ્‍થળે પોલીસની ટીમ પહોંચી લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં રવાના કરાઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી ઘટના અંગે ખરેખર કોણ જવાબદાર છે તેની તપાસ હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે.

Related posts

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

Leave a Comment