Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના માંદોની-સિંદોની રોડ પર બાઈક ચાલકે એક નાના બાળકને અડફેટમાં લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગંભીર અકસ્‍માત સર્જનાર બાઈકચાલક વિરૂદ્ધ ખાનવેલ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આજે ખાનવેલ પોલીસે બાઈકચાલકને સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં રજૂ કરતા સિવિલ જજ અને ચીફ જ્‍યુડિયલ મેજીસ્‍ટ્રેટશ્રીએ જીવલેણ અકસ્‍માત સર્જનાર યુવાનને એક વર્ષની કેદ અને રૂા.7000ના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જમસુ દાવજી વરઠા (ઉ.વ.30) રહેવાસી-રુદાના(દાનહ) જે તા.24/01/2020ના રોજ માંદોની-સિંદોની રોડ પરથી પોતાની બાઈક લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. તે સમયે વિવેક નામનું બાળક (ઉંમર 7 વર્ષ)ને ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં બાળકને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતેઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટના અંગેની ફરિયાદ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. ત્‍યારબાદ પોલીસે અકસ્‍માત સર્જનાર યુવાન જમસુ વરઠાને સેલવાસની જિલ્લા કોર્ટમાં હાજર કર્યો હતો.
સરકારી વકીલ પ્રવીણભાઈ પટેલની ધારદાર દલીલને ધ્‍યાનમાં લઈ ડિસ્‍ટ્રીક્‍ટ સિવિલ જજ અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી એ.એ.ભોસલેએ ચુકાદો આપતાં આરોપી જમસુ વરઠાને એક વર્ષની સખત કેદ અને રૂા.7000 રોકડના દંડની સજા ફટકારી હતી.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધામાં સરકારી હાઈસ્‍કૂલ નાની દમણ વિજેતા બની

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

Leave a Comment